રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગડચિરોલી-ચિમુર અને ચંદ્રપુરમાં ૨૦૧૪માં સરેરાશ ૬૫.૦૮ અને ૨૦૧૯માં ૬૪.૦૬ ટકા મતદાન થયું હતું
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ભાગલા થયા પછી આખું સમીકરણ બદલાઈ ગયું છે. પહેલાં રાજ્યમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ, શિવસેના, NCP એમ ચાર રાજકીય પક્ષો હતા. હવે એમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) એમ બે નવા પક્ષો ઉમેરાયા છે. આજે લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મુખ્ય મુકાબલો મહાયુતિ (BJP, એકનાથ શિંદે જૂથની શિવસેના, અજિત પવાર જૂથની NCP) અને મહા વિકાસ આઘાડી (કૉન્ગ્રેસ, NCP (શરદચંદ્ર પવાર) અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના) વચ્ચે છે. મહારાષ્ટ્રમાં પહેલા તબક્કામાં આજે રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગડચિરોલી-ચિમુર અને ચંદ્રપુર બેઠક પર મતદાન થઈ રહ્યું છે.



