અશોક ખરાત કેસમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાં પર અમૃતા ફડણવીસ બોલ્યાં
અમૃતા ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે લંપટ જ્યોતિષી અશોક ખરાત કેસ વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘હવે આ કાર્યવાહી કરવામાં આવી છે, નુકસાન અટકાવવા માટે કાર્યવાહી ખૂબ વહેલી થવી જોઈતી હતી.’
આ કેસમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લેવામાં આવેલાં કડક પગલાં બાબતે તેમણે કહ્યું કે ‘ગર્વ કરવાની કોઈ જરૂર નથી. જો જનતા, મીડિયા અથવા સ્થાનિક નેતાઓએ સમયસર કાર્યવાહી કરી હોત તો પરિસ્થિતિ આ તબક્કે પહોંચી ન હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. દેવેન્દ્રજી પાસે મામલો પહોંચતાં પગલાં લીધાં હતાં, પરંતુ આ ખૂબ વહેલું થવું જોઈતું હતું.’
આ કેસને ભયાનક ગણાવતાં અમૃતા ફડણવીસે લોકોને સ્વ-ઘોષિત બાબાઓનું આંધળું અનુકરણ ન કરવાની વિનંતી કરી હતી.
