Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: જોગેશ્વરી બાદ હવે મલાડમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

Mumbai: જોગેશ્વરી બાદ હવે મલાડમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

13 March, 2023 06:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલાડ (Malad) પૂર્વના અપ્પા પાડા વિસ્તારમાં સોમવારે બપોરે આગ લાગ્યા બાદ ઝૂંપડપટ્ટીમાંથી ધુમાડો નીકળ્યો હતો. આગના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે. જો કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા કે જાનહાનિની કોઈ માહિતી મળી નથી. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મલાડ (Malad) પૂર્વના અપ્પા પાડા વિસ્તારમાં સોમવારે બપોરે આગ લાગ્યા બાદ ઝૂંપડપટ્ટીમાંથી ધુમાડો નીકળ્યો હતો. આગના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે. જો કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા કે જાનહાનિની કોઈ માહિતી મળી નથી. 

આજે એટલે કે સોમવારે 13 માર્ચ 2023ના રોજ સવારે જોગેશ્વરી વિસ્તારમાં પણ રિલીફ રોડ પેટ્રોલ પંપની સામે આવેલા ઘાસ કમ્પાઉન્ડમાં પણ આગ લાગવાની માહિતી સામે આવી હતી. નોંધનીય છે કે અહીં ફર્નિચરના ગોડાઉનમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી હતી. 



જોગેશ્વરીમાં ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈ ઈજાઓ નોંધાઈ નથી.



ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેવલ 3માં આગની જાણ કરવામાં આવી છે અને સવારે 11.21 વાગ્યે.

આ પણ વાંચો : મુંબઈના ઓશિવારા વિસ્તારમાં ફર્નિચર માર્કેટમાં લાગી આગ, ૨૫ દુકાનો બળીને ખાખ

"ફર્નિચર ગોડાઉનમાં આગની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી," BMC અધિકારીએ જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2023 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK