Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાર્ટીના નેતા અને કાર્યકરોની નારાજગી દૂર કરવા, રાજ ઠાકરેએ બોલાવી અર્જન્ટ મીટિંગ

પાર્ટીના નેતા અને કાર્યકરોની નારાજગી દૂર કરવા, રાજ ઠાકરેએ બોલાવી અર્જન્ટ મીટિંગ

Published : 13 April, 2024 10:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાર્ટીના નેતા અને કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે રાજ ઠાકરેએ આજે બોલાવી MNSના પદાધિકારીઓની અર્જન્ટ મીટિંગ

રાજ ઠાકરે

રાજ ઠાકરે


નવમી એપ્રિલે ગુઢી પાડવાની જાહેર સભામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મહાયુતિને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રાજ ઠાકરેના આ નિર્ણયથી MNSમાં નારાજગી જોવા મળી રહી છે અને પદાધિકારીઓ રાજીનામાં આપી રહ્યા છે. રાજ ઠાકરેએ સમર્થન જાહેર કર્યા બાદ મહાયુતિના કેટલાક કાર્યક્રમોમાં રાજ ઠાકરેના ફોટો જોવા મળી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ તેમની અવગણના કરવામાં આવી રહી છે એટલે MNSના પદાધિકારીઓ અને કાર્યકરો પ્રચારમાં જોડાવું કે નહીં એની મૂંઝવણ અનુભવી રહ્યા છે. પદાધિકારીઓની નારાજગી દૂર કરવાની સાથે તેમની મૂંઝવણનો ઉકેલ લાવવા માટે રાજ ઠાકરેએ MNSના રાજ્યભરના નેતા, જનરલ સેક્રેટરી અને પ્રવક્તાઓની અર્જન્ટ મીટિંગ બોલાવી છે. આ બેઠક ગઈ કાલે સાંજે થવાની હતી, પરંતુ હવે એ આજે સવારે થશે એવું જાણવા મળ્યું હતું. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 April, 2024 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK