મલાડમાં જે ગાળાઓમાં આગ લાગી હતી એમાં કશું જ બચ્યું નથી ત્યારે વેપારીઓએ ફરી હામ ભીડી : તેમનું કહેવું છે કે હવે રડવાથી શું ફાયદો?
બે ગાળા બળી ગયા પછી પણ લોકોના સાથ-સહકારથી ફરી ધંધો વિકસાવીશું એમ જણાવતા લાકડિયાના અમરશી ફુરિયા
મલાડ-ઈસ્ટના દફ્તરી રોડ પર આવેલા સેન્ટર પ્લાઝામાં ગુરુવારે લાગેલી આગમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા માળના કેટલાક ગાળા બળીને ખાખ થઈ ગયા છે ત્યારે ત્યાંના વેપારીઓનું કહેવું છે કે ‘જે થવાનું હતું એ થઈ ગયું. હવે જ્યારે કશું બચ્યું જ નથી ત્યારે રડવાથી શું ફાયદો? ફરી મહેનત કરીશું અને શૂન્યમાંથી સર્જન કરીશું.’



