Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્પાઇસજેટને એક બર્ગર અને ફ્રાઇઝ ૫૫,૦૦૦ રૂપિયામાં પડ્યાં

સ્પાઇસજેટને એક બર્ગર અને ફ્રાઇઝ ૫૫,૦૦૦ રૂપિયામાં પડ્યાં

Published : 02 September, 2025 08:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લાઇટ ૧૪ કલાક મોડી પડી હોવા છતાં બેજવાબદાર વર્તન દાખવવા બદલ ફરિયાદ નોંધાવનાર મુસાફરને વળતર આપવાનો આદેશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્પાઇસજેટની દુબઈથી મુંબઈ આવતી ફ્લાઇટ ૧૪ કલાક મોડી પડી હતી. એ દરમ્યાન ઍરલાઇન્સ તરફથી મુસાફરોને માત્ર એક બર્ગર અને ફ્રાઇઝ આપવામાં આવ્યાં હતાં. ઍરલાઇન્સ તરફથી અપૂરતી સર્વિસ અને બેજવાબદાર વર્તન બદલ એક મુસાફરે મુંબઈ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ કરી હતી. એના ચુકાદામાં કમિશને મુસાફરને ૫૫,૦૦૦ રૂપિયા વળતર આપવાનો સ્પાઇસજેટને નિર્દેશ કર્યો છે.

કમિશને નોંધ્યું હતું કે ‘ટેક્નિકલ કારણસર ફ્લાઇટ મોડી પડી હતી એથી મુસાફરોની યાત્રા પૂરી ન થાય ત્યાં સુધીની જવાબદારીમાંથી ઍરલાઇન્સ છટકી ન શકે. રીશેડ્યુલ, કૅન્સલેશન કે ડિલે થવાનાં બહાનાં આપવાં સામાન્ય છે પણ ઍરલાઇન્સે ભોજન, પાણી અને આરામ કરવા માટે યોગ્ય જગ્યા જેવી પ્રાથમિક સુવિધા મુસાફરોને આપવી જ જોઈએ.’



૨૦૨૪ના જુલાઈમાં બનેલા આ બનાવ બાદ ફરિયાદીએ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) અને સિવિલ એવિયેશન રિક્વાયરમેન્ટ્સ (CAR)ના નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાવીને ફરિયાદ નોંધાવી હતી. બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ પંચે ફરિયાદીને વળતરપેટે ૫૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2025 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK