Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાના રાહુલ શેવાળેની બદનામીના મામલામાં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને બે-બે હજારનો દંડ

શિવસેનાના રાહુલ શેવાળેની બદનામીના મામલામાં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને બે-બે હજારનો દંડ

Published : 15 June, 2024 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મામલાની સુનાવણીમાં ઉદ્ધવ ઠાકરે કે સંજય રાઉતને કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મોકલવામાં આવ્યા હતા. તેઓ કોર્ટમાં હાજર નહોતા રહ્યા એટલે તેમને આ દંડ કરવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત


શિવસેનાના ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ શેવાળેની બદનામી કરવાના મામલામાં સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને બે-બે હજાર રૂપિયાનો દંડ કર્યો હતો અને આ રકમ રાહુલ શેવાળેને દસ દિવસમાં આપવાનો આદેશ આપ્યો હતો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના મુખપત્ર ‘સામના’માં શિવસેનાના મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠકના તત્કાલીન સંસદસભ્ય રાહુલ શેવાળે સંબંધી સમાચાર લખવામાં આવ્યા હતા. આ સમાચારથી પોતાની બદનામી થઈ હોવાનો દાવો કરીને રાહુલ શેવાળેએ સ્પેશ્યલ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સામે કેસ કર્યો છે. આ મામલાની સુનાવણીમાં ઉદ્ધવ ઠાકરે કે સંજય રાઉતને કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મોકલવામાં આવ્યા હતા. તેઓ કોર્ટમાં હાજર નહોતા રહ્યા એટલે તેમને આ દંડ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK