Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અખાત્રીજ નિમિત્તે બાંદરા-ભાવનગર વચ્ચે વિશેષ ટ્રેન

અખાત્રીજ નિમિત્તે બાંદરા-ભાવનગર વચ્ચે વિશેષ ટ્રેન

Published : 26 April, 2025 11:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેનમાં ઍર-કન્ડિશન (AC) ૩ ટિયર અને AC ચૅરકાર હશે. એનું બુકિંગ શનિવારે ૨૬ એપ્રિલે તમામ પૅસેન્જર રિઝર્વેશન કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પરથી થઈ શકશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


અખાત્રીજ નિમિત્તે મુસાફરોના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ વિશેષ ટિકિટભાડા સાથે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ટ્રેન-નંબર 09013 બાંદરા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશ્યલ મંગળવારે ૨૯ એપ્રિલે રાતે ૭.૨૫ વાગ્યે બાંદરા ટર્મિનસથી ઊપડશે અને બીજા દિવસે સવારે ૯ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેન-નંબર 09014 બુધવારે ૩૦ એપ્રિલે સાંજે ૫.૪૫ વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઊપડશે અને બીજા દિવસે સવારે ૭.૨૫ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ જંક્શન, ધોળા જંક્શન, સોનગઢ અને શિહોર સ્ટેશન પર ટ્રેન ઊભી રહેશે. ટ્રેનમાં ઍર-કન્ડિશન (AC) ૩ ટિયર અને AC ચૅરકાર હશે. એનું બુકિંગ શનિવારે ૨૬ એપ્રિલે તમામ પૅસેન્જર રિઝર્વેશન કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પરથી થઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK