Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિશા સાલિયનના મૃત્યુના મુદ્દે રાજ્ય સરકારે જવાબ નોંધાવવા સમય માગ્યો

દિશા સાલિયનના મૃત્યુના મુદ્દે રાજ્ય સરકારે જવાબ નોંધાવવા સમય માગ્યો

Published : 01 May, 2025 10:02 AM | Modified : 02 May, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિશાના પિતા સતીશ સાલિયને બૉમ્બે હાઈ કોર્ટમાં કેસ ફરી ઓપન કરીને તપાસની માગણી કરી છે

દિશા સાલિયન

દિશા સાલિયન


બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુની ફરીથી તપાસ કરવાની માગણી તેના‌ પિતા સતીશ ‌સાલિયને બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરીને કરી છે. ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં સતીશ સાલિયનની પિટિશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સતીશ સાલિયને દિશા પર ક્રૂરતાથી બળાત્કાર કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવાની સાથે આ કેસને રાજકીય વગથી દબાવી દેવામાં આવ્યો હોવાની દલીલ ગઈ કાલે કોર્ટમાં કરી હતી.

બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ સારંગ કોતવાલ અને જસ્ટિસ એસ. એમ. મોડકની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે સતીશ સાલિયનના દાવા વિશે તેમના વકીલે દલીલ કરી હતી. રાજ્ય સરકારના વકીલે આ વિશે જવાબ નોંધાવવામાં સમયની માગણી કરી હતી એથી કોર્ટે સરકારને ૧૫ જૂન સુધીમાં જવાબ નોંધાવવાનું કહ્યું હતું.



ઉલ્લેખનીય છે કે દિશા સાલિયનના મૃત્યુના મામલામાં ઉદ્ધવ ઠાકરેના વિધાનસભ્ય પુત્ર આદિત્ય ઠાકરે સહિતના વગદાર લોકો સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK