Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉલ્હાસ નદી પર બંધાયેલો બુલેટ ટ્રેન માટેનો બ્રિજ વહી ગયાની અફવા

ઉલ્હાસ નદી પર બંધાયેલો બુલેટ ટ્રેન માટેનો બ્રિજ વહી ગયાની અફવા

Published : 16 July, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે સ્પષ્ટતા કરવી પડી કે બુલેટ ટ્રેન માટે બાંધવામાં આવેલો હંગામી બ્રિજ વહી ગયો, મુખ્ય બ્રિજ નહીં

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉલ્હાસ નદી પર બાંધવામાં આવેલો બ્રિજ પૂરના પાણીમાં વહી ગયો હોવાના અહેવાલો ફરતા થયા એને પગલે બુધવારે નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ સ્પષ્ટતા કરવી પડી હતી. NHSRCLએ સ્પષ્ટતા કરી હતી કે જે બ્રિજ વહી ગયો છે એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનનારા બ્રિજના બાંધકામનું મટીરિયલ લઈ જવા-લાવવા માટે બાંધવામાં આવેલો બ્રિજ હતો, જે હંગામી ધોરણે બનાવવામાં આવ્યો હતો, એ બ્રિજ બુલેટ ટ્રેન માટે બનનારા બ્રિજનો ભાગ નહોતો.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે થાણેમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે ઉલ્હાસ નદીમાં પૂર આવ્યું હતું અને એમાં આ બ્રિજ વહી ગયો હતો. ત્યાર બાદ મીડિયા સહિત અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવાયેલો બ્રિજ વહી ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બ્રિજ કન્સ્ટ્રક્શનનો સામાન તેમ જ અન્ય મશીનોની અવરજવર માટે તાત્પૂરતા સમય માટે બાંધવામાં આવ્યો હોવાનું જણાવીને NHSRCLએ બુધવારે અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK