Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બહારગામની ટ્રેનોમાં ગંદા ટૉઇલેટની ફરિયાદ હવે બની જવાની ભૂતકાળ

બહારગામની ટ્રેનોમાં ગંદા ટૉઇલેટની ફરિયાદ હવે બની જવાની ભૂતકાળ

04 July, 2022 12:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે ટ્રેનમાં એક ઑફિસર તહેનાત કરશે જે ટૉઇલેટ સ્વચ્છ રાખવામાં આવે એનું ધ્યાન રાખશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લાંબા અંતરની ટ્રેનોમાં ખાસ કરીને પ્રવાસીઓની ફરિયાદ અસ્વચ્છ ટૉઇલેટ અને એસી ન ચાલતું હોવાની હોય છે. જોકે એનું નિવારણ લાવવા પહેલાં રેલવેએ ટ્વિટર હૅન્ડલ પર અથવા હેલ્પલાઇન નંબર પર એની જાણ કરવાની સુવિધા આપી હતી, જેથી રેલવેનો સ્ટાફ આવીને એ સ્વચ્છ કરી જતો હતો. જોકે હવે એનાથી એક ડગલું આગળ વધીને રેલવેએ ટ્રેનમાં જ એક ઑફિસરને તહેનાત કરીને તેને ટૉઇલેટ સ્વચ્છ રાખવામાં આવે એની ચકાસણી કરવા કહ્યું છે.

ખાસ કરીને જનરલ કોચ અને સ્લીપર કોચના પ્રવાસીઓને આ અસ્વચ્છ ટૉઇલેટની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. રેલવેએ આ માટે હાલ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને એસી કોચમાં એ સુવિધા ઉપલબ્ધ કરી છે. અત્યાર સુધી ૫૦૦ કરતાં વધુ ચકાસણી થઈ ગઈ છે. ટૉઇલેટ સ્વચ્છ રાખવું, એને મેઇન્ટેઇન કરવું અને અન્ય સમસ્યાઓનો એ ઑફિસરો તેમની ટીમ સાથે ઉકેલ લાવશે. આ સુવિધા ધીમે-ધીમે સ્લીપર કોચ અને જનરલ કોચમાં પણ વધારવામાં આવશે. આ માટે રેલવેના ડિવિઝનલ જનરલ મૅનેજર, રેલવેના ટેક્નિકલ એન્જિનિયર અને અન્ય અધિકારીઓ ઑફિસરોની ફાળવણી કરશે એમ રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2022 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK