Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં વડાપાંઉ અને પુણેની ભાખરવડી દિવસમાં બે વખત જઈને ખાઈ શકાશે

મુંબઈમાં વડાપાંઉ અને પુણેની ભાખરવડી દિવસમાં બે વખત જઈને ખાઈ શકાશે

Published : 06 September, 2026 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ-પુણે વચ્ચે બુલેટ ટ્રેનનો કૉરિડોર તૈયાર થઈ રહ્યો છે એવી જાહેરાત કરીને રેલવે-મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું...

અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવ


રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈ-પુણે વચ્ચે બુલેટ ટ્રેન કૉરિડોર તૈયાર થઈ રહ્યો હોવાની જાહેરાત કરી છે. આ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલ-સર્વિસને કારણે બન્ને શહેર વચ્ચેનું અંતર માત્ર ૪૮ મિનિટમાં કાપી શકાશે. કેન્દ્રીય બજેટ ૨૦૨૬-’૨૭માં જાહેર કરાયેલા દેશના ૭ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ કૉરિડોરમાં મુંબઈ-પુણેને એક મહત્ત્વનો કૉરિડોર દર્શાવાયો હતો. અશ્વિની વૈષ્ણવે હળવા અંદાજમાં આ જાહેરાત કરતાં કહ્યું હતું કે હવે એવો કૉરિડોર તૈયાર થઈ રહ્યો છે કે મુંબઈમાં વડાપાંઉ અને પુણેની ભાકરવડી દિવસમાં બે વખત ત્યાં જઈને ખાઈ શકાશે.
મુંબઈ-પુણે રાજ્યનો સૌથી વધુ અવરજવરનો રૂટ છે. નોકરી, ધંધો, એજ્યુકેશન અને અન્ય કામકાજને લઈને બન્ને શહેરોના લોકો રોજ મોટી સંખ્યામાં આવ-જા કરે છે. રેલવે અથવા હાઇવેથી જવા-આવવામાં સમય લાગે છે અને ટ્રાફિક જૅમ અને અન્ય હાડમારી ઉઠાવવી પડે છે. એથી જો બન્ને શહેર વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવે તો રોજેરોજ પ્રવાસ કરનારાઓ માટે એ પ્રવાસ ઝડપી અને આરામદાયી બનશે. આ જાહેરાત બાદ મુંબઈગરાઓ અને પુણેકરોનું ધ્યાન એના પર લાગ્યું છે કે આ બુલેટ ટ્રેનનું સ્ટેશન ક્યાં હશે? ભાડું કેટલું હશે? ઍક્ચુઅલમાં ટ્રેન ક્યારે શરૂ થશે? કેન્દ્ર સરકારના ૨૦૨૬-’૨૭ના બજેટમાં મુંબઈ-પુણેની જેમ પુણે-હૈદરાબાદ વચ્ચે પણ બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ હતો જેનો ટ્રાવેલિંગ-ટાઇમ બે કલાક ૮ મિનિટ કરવાનો ટાર્ગેટ છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK