જૈન સમાજ, ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વરજી અને આચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ આ આખા મામલાને ટ્રિપલ મર્ડર કેસની દૃષ્ટિથી જોઈ રહ્યા છે
કર્જત વિહાર ગ્રુપનાં દિવાળીબહેન ઓસવાલ અને આ ટેમ્પોએ સોમવારે સવારે લીધો ત્રણ જણનો જીવ.
સોમવારે સવારે કર્જતથી નેરળ તરફ ચાલીને વિહાર કરીને જઈ રહેલાં ધર્માવિજયજી મહારાજસાહેબ ડહેલાવાલાના સમુદાયનાં ૫૩ વર્ષનાં પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ અને તેમની સાથે વિહાર કરી રહેલાં કર્જતના વિહાર ગ્રુપનાં ૪૫ વર્ષનાં મૂળ રાજસ્થાનના હિંગવાડ ગામનાં લતા સંદીપ ઓસવાલ દૂધના એક ટેમ્પોએ ટક્કર મારીને કચડી નાખ્યા બાદ કાળધર્મ પામ્યાં હતાં, જ્યારે તેમની સાથે જ વિહાર કરી રહેલાં કર્જતના વિહાર ગ્રુપનાં જ ૫૦ વર્ષનાં મૂળ રાજસ્થાનના ફતાપુરા ગામનાં દિવાળીબહેન સંજય ઓસવાલ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં. ગઈ કાલે દિવાળીબહેન ઓસવાલનું પણ મૃત્યુ થતાં કર્જત શોકાગ્રસ્ત થઈ ગયું હતું. આજે દિવાળીબહેન ઓસવાલની ‘જય જય નંદા, જય જય ભદ્રા’ના ગગનભેદી નારા સાથે કર્જતમાં પાલખીયાત્રા કાઢવામાં આવશે.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)