Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે પનવેલથી બોરીવલીની લોકલ ટ્રેન માટેના નવા કૉરિડોરને ગ્રીન સિગ્નલ

હવે પનવેલથી બોરીવલીની લોકલ ટ્રેન માટેના નવા કૉરિડોરને ગ્રીન સિગ્નલ

Published : 10 September, 2025 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (MUTP-III) અંતર્ગત પનવેલ-વસઈ-બોરીવલી કૉરિડોર ૧૨,૭૧૦.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામાં આવશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


હવે લોકલ ટ્રેનમાં પનવેલથી બોરીવલી કે બોરીવલીથી પનવેલ જવું હોય તો એક જ ટ્રેનમાં મુસાફરી કરી શકાય એવું શક્ય બનશે. પનવેલને દિવા-વસઈ અને એ પછી એક બાજુ વિરાર અને બીજી બાજુ બોરીવલી સુધી જોડતા નવા લોકલ કૉરિડોરને મંજૂરી મળી ગઈ છે. અનેક વર્ષોથી આ ટ્રેન શરૂ કરવાની માગણી હતી. મુંબઈ અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (MUTP-III) અંતર્ગત પનવેલ-વસઈ-બોરીવલી કૉરિડોર ૧૨,૭૧૦.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામાં આવશે.

પનવેલ-વસઈ-બોરીવલીનો આ નવો કૉરિડોર સ્વતંત્રપણે ચાલશે. મુંબઈના થાણે, ઈસ્ટનાં પરાં અને આગળ પુણે તથા ગોવા તરફ જવા માગતા અને ત્યાંથી બોરીવલી-વસઈ આવવા માગતા પ્રવાસીઓ માટે આ સુવિધા ઉપયોગી થઈ પડશે. એની સાથે જ ભિવંડીની પાવરલૂમ ઇન્ડસ્ટ્રીને પણ આ કૉરિડોરનો લાભ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK