અમોલ મિટકરીએ કહ્યું હતું કે ૨૮ જાન્યુઆરીએ અજિત પવાર કોના નિર્દેશથી વિમાનમાં ચડ્યા હતા અને તેમને કોણે રોડ દ્વારા મુસાફરી કરતાં અટકાવ્યા હતા
NCPના વિધાનસભ્ય અમોલ મિટકરી
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિટકરીએ ભોંદુબાબા અશોક ખરાત અને VSR એવિયેશન વચ્ચેના સંબંધો વિશે ખૂબ ગંભીર આરોપ લગાવીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. અમોલ મિટકરીએ કહ્યું હતું કે ૨૮ જાન્યુઆરીએ અજિત પવાર કોના નિર્દેશથી વિમાનમાં ચડ્યા હતા અને તેમને કોણે રોડ દ્વારા મુસાફરી કરતાં અટકાવ્યા હતા એ બધા પ્રશ્નો હજી સુધી અનુત્તરિત છે.
અમોલ મિટકરીએ સીધો આરોપ લગાવ્યો હતો કે ‘આ ભોંદુબાબા અશોક ખરાત VSR એવિયેશન સાથે સંકળાયેલાં છે અને આ કંપનીના વી. કે. સિંહ અશોક ખરાતના મોટા ભક્ત છે એથી આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ જરૂરી છે.’
