Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કિરીટ સોમૈયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરશે NCP નેતા હસન મુશ્રીફ

કિરીટ સોમૈયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરશે NCP નેતા હસન મુશ્રીફ

20 September, 2021 06:29 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એનસીપી નેતા હસન મુશ્રીફ કિરીટ સોમૈયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરશે.

કિરીટ સોમૈયા

કિરીટ સોમૈયા


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અને મહારાષ્ટ્ર ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફે સોમવારે કહ્યું કે તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા કિરીટ સોમૈયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.

આ અંગે માહિતી આપતાં મુશ્રીફે કહ્યું કે,`કિરીટ સોમૈયા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ભાજપના મોટા ષડયંત્રનો ભાગ છે અને ચંદ્રકાંત પાટીલ તેના મુખ્ય સૂત્રધાર છે. હું પરમબીર સિંહના મુદ્દે મહા વિકાસ આઘાડી (MVA)અને કેન્દ્રની વિરુદ્ધ છું. કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવા અંગે ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો. તેથી જ મને રોકવા માટે ભાજપ દ્વારા કિરીટ સોમૈયા દ્વારા મને ફસાવવામાં આવી રહ્યો છે.`



મંત્રી હસન મુશ્રીફે વધુમાં કહ્યું કે, `મારા અને મારા પરિવાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. હું કિરીટ સોમૈયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવા જઈ રહ્યો છું. કિરીટ સોમૈયાએ મારી માફી માંગવી જોઈએ. હું ભાજપ સરકારનો એક ભાગ છું. આ દરમિયાન ચંદ્રકાંત પાટિલ સામે 150 કરોડ રૂપિયાના હાઇબ્રિડ એન્યુઇટી કૌભાંડ માટે FIR દાખલ કરીશ.`


અહીં નોંધવું રહ્યું કે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ગત અઠવાડિયે મુશ્રીફ અને તેમના પરિવારના સભ્યો મની લોન્ડ્રિંગમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો

ભાજપના નેતાએ કહ્યું હતું કે, `હસન મુશ્રીફ, તેમની પત્ની સાહેરા હસન મુશ્રીફ અને તેમના પુત્ર નવીદ મુશ્રીફ, સમગ્ર મુશ્રીફ પરિવાર મની લોન્ડરિંગ અને બેનામી સંપત્તિ જેવા છેતરપિંડીના કેસોમાં સંડોવાયેલા છે. તેમના દાવાઓની પુષ્ટિ કરતા સોમૈયાએ પણ રજૂઆત કરી હતી. 


સોમૈયા કોલ્હાપુરમાં મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફની માલિકીની મિલકતોની મુલાકાત લેવાના હતા, જેને લઈ તેમનો દાવો છે કે તેમાં ભ્રષ્ટચાર થયો છે. જોકે, કોલ્હાપુર જતી વખતે કરાડ રેલવે સ્ટેશન પર તેની અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ સોમૈયાએ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબલ અને અનિલ પરબી સામે મની લોન્ડરિંગના આરોપો લગાવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2021 06:29 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK