Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિકમાં ફરી કાંદાની લિલામી બંધ

નાશિકમાં ફરી કાંદાની લિલામી બંધ

Published : 01 October, 2023 08:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંદાની લિલામી બાબતે નાશિક જિલ્લા વેપારી અસોસિએશનની બેઠક ગઈ કાલે થઈ હતી,

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



મુંબઈ ઃ કાંદાની લિલામી બાબતે નાશિક જિલ્લા વેપારી અસોસિએશનની બેઠક ગઈ કાલે થઈ હતી, જેમાં સરકારે વેપારીઓની એક પણ માગણી માન્ય ન રાખી હોવાથી કાંદાની લિલામી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી આજથી નાશિકમાં ફરી કાંદાનું વેચાણ ઠપ થઈ જશે. 
અસોસિએશનના પ્રવક્તા પ્રવીણ કદમે ગઈ કાલે કહ્યું હતું કે ‘કાંદાના વેચાણ અને ભાવ બાબતે ઊભી થયેલી સમસ્યા બાબતે રાજ્ય સરકારે વેપારીઓની કોઈ માગણી પર ધ્યાન નથી આપ્યું એટલે જિલ્લાના કાંદાના તમામ વેપારીઓએ ફરી કાંદાની લિલામી ન કરવાનો નિર્ણય લીધો છે. નાફેડના માધ્યમથી કાંદા ખરીદીને સરકાર ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી છે. કાંદાના ભાવ વધવા માટે દોષ વેપારીઓને આપવામાં આવે છે. વિંચૂરના કેટલાક વેપારીઓ પર દબાણ લાવીને કાંદાની લિલામી શરૂ કરવામાં આવી છે. જોકે વિંચૂરના પચાસ ટકા વેપારીઓ અમારી સાથે છે. સરકાર અમારી માગણી પ્રત્યે ધ્યાન નહીં આપે તો રાજ્યના બીજા જિલ્લાના વેપારીઓનો સંપર્ક કરીને રાજ્યભરમાં બંધ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2023 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK