Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Traffic: મુંબઈમાં વધશે ટ્રાફિકની સમસ્યા, જર્જરિત આ જુના બ્રિજનું થશે પુનઃનિર્માણ

Mumbai Traffic: મુંબઈમાં વધશે ટ્રાફિકની સમસ્યા, જર્જરિત આ જુના બ્રિજનું થશે પુનઃનિર્માણ

17 March, 2023 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોખલે બ્રિજને કારણે મુંબઈકર્સ (Mumbai) પહેલેથી જ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ત્યાં ફરી શહેરીજનોએ અન્ય વિસ્તારમાં પણ બ્રિજના પુન:નિર્માણને કારણે ટ્રાફિક(Mumbai Traffic)ની સમસ્યા ભોગવવી પડશે.

તસવીર: નિમેશ દવે

મુંબઈકર્સને અગવડ

તસવીર: નિમેશ દવે


આ દિવસોમાં પ્રદૂષણ અને ટ્રાફિકના કારણે મુંબઈ (Mumbai Traffic)ની હાલત ખરાબ છે. રસ્તાઓના સિમેન્ટેશન, મેટ્રો પ્રોજેક્ટ, કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને અન્ય બાંધકામના કામોને કારણે શહેરમાં ધૂળના કણોનું સ્તર વધી રહ્યું છે. બીજી તરફ જર્જરિત સો વર્ષ જૂના પુલને પુનઃનિર્માણ માટે બંધ કરવામાં આવતાં ટ્રાફિકની સ્થિતિ વિકટ બની રહી છે. જો કે, નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરતી જણાતી નથી કારણ કે દક્ષિણ મુંબઈમાં વધુ ઓવરપાસ તૂટી જવાના છે.

કયા પુલ તૂટી જશે
બેલાસિસ બ્રિજ, રે રોડ, તિલક બ્રિજ, ભાયખલા એસ બ્રિજ, આર્થર રોડ, કરી રોડ અને માટુંગા



તૈયારીઓ શરૂ
આ તમામ પુલ મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (Maharashtra Rail Infrastructure Development Corporation) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. દાદર તિલક બ્રિજ, ભાયખલા અને રે રોડ પર જૂના બ્રિજને તોડી પાડતાં પહેલાં નવા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 14 માર્ચે રેલવેએ ટ્રાફિક વિભાગને બેલાસિસ બ્રિજ પર ટ્રાફિક રોકવા માટે પત્ર લખ્યો હતો.


બેલાસિસ બ્રિજ: 1893 માં બંધાયેલો
લંબાઈ: 380 મી
કામનો સમયગાળો: 650 દિવસ
અંદાજિત ખર્ચઃ રૂ. 140 કરોડ

આ પણ વાંચો: ગુજરાતી કિરણ પટેલની આટલી મોટી ઠગાઈ... Z પ્લસ સુરક્ષા, બુલેટપ્રૂફ ગાડી, પોતાને ગણાવતો PMOને અધિકારી


મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડ વચ્ચેનો બેલાસિસ બ્રિજ

130 વર્ષ જૂના બેલાસિસ બ્રિજને તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પુલનું નામ બ્રિટિશ સરકારના મેજર જનરલ જોન બેલાસિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રેલવે દ્વારા ટ્રાફિક વિભાગને જાણ કરવામાં આવી છે. ચોમાસા બાદ તૂટવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવો અંદાજ છે. તેને પણ લોઅર પરેલના ડેલયલ રોડ બ્રિજની જેમ ડિઝાઇન કરવામાં આવશે. રેલવેની ઉપરનો ભાગ રેલવે અને BMC દ્વારા રોડ સાઈડ પર બનાવવામાં આવશે.


ભાયખલા બ્રિજ: 1922માં બંધાયેલો
લંબાઈ: 650 મી
કામનો સમયગાળો: 350 દિવસ
અંદાજિત ખર્ચઃ રૂ. 200 કરોડ

રે રોડ બ્રિજ: 1920 માં બંધાયેલો
લંબાઈ: 220 મી

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK