Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરસાદનું પાણી ગણપતિની મૂર્તિઓ બનાવતી વર્કશૉપમાં ઘૂસી ગયું, મૂર્તિકારોને મોટું નુકસાન

વરસાદનું પાણી ગણપતિની મૂર્તિઓ બનાવતી વર્કશૉપમાં ઘૂસી ગયું, મૂર્તિકારોને મોટું નુકસાન

Published : 21 August, 2025 12:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અન્ય એક મૂર્તિકારે તેની મૂર્તિઓ પાણીમાં ખરાબ થવાને કારણે ૧.૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.

વરસાદનું પાણી ગણપતિની મૂર્તિઓ બનાવતી વર્કશૉપમાં ઘૂસી ગયું

વરસાદનું પાણી ગણપતિની મૂર્તિઓ બનાવતી વર્કશૉપમાં ઘૂસી ગયું


ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુંબઈના બે દિવસના મેઘતાંડવને કારણે અનેક મૂર્તિકારોની સીઝન બગડી ગઈ હતી. મુંબઈ અને થાણેમાં મૂર્તિઓ બનાવતી અનેક વર્કશૉપમાં વરસાદનું પાણી ઘૂસી ગયું હતું. બુક થઈ ગયેલી મૂર્તિઓ પણ ખરાબ થઈ જતાં કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા. થાણેના માજીવાડામાં ગણપતિની મૂર્તિઓ બનાવતી વર્કશૉપમાં વરસાદનું પાણી ઘૂસી ગયું હતું. સચિન નાર્વેકર નામના મૂર્તિકારે કહ્યું હતું કે દર વર્ષે અહીં નાળાં ઊભરાય છે અને ગટરો ચોક-અપ થાય છે એટલે ગટરનું પાણી પાછું આવે છે. અન્ય એક મૂર્તિકારે તેની મૂર્તિઓ પાણીમાં ખરાબ થવાને કારણે ૧.૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. મૂર્તિકારોએ ડ્રેનેજની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે પાલિકાને વિનંતી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK