Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાઇક્લિસ્ટો મંત્રાલય પર લઈ જશે સાઇલન્ટ મોરચો

સાઇક્લિસ્ટો મંત્રાલય પર લઈ જશે સાઇલન્ટ મોરચો

Published : 07 March, 2024 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસ્તાઓને સુરક્ષિત બનાવવાની માગણી

સાઇક્લિસ્ટ ગ્રુપ્સ

સાઇક્લિસ્ટ ગ્રુપ્સ


મુંબઈનાં સાઇક્લિસ્ટ ગ્રુપ્સ ૧૫ માર્ચે મંત્રાલય પર એક સાઇલન્ટ મોરચો લઈ જઈને મુખ્ય પ્રધાન, સુધરાઈ પ્રશાસન અને પોલીસના ચીફને મળવાનો વિનંતીપત્ર આપશે. મુંબઈના રસ્તાઓને સાઇક્લિસ્ટો, રનર્સ અને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવાની અરજ કરવા તેઓ બધાને મળવા માગે છે.

નવી મુંબઈના પામ બીચ રોડ પર ૨૮ ફેબ્રુઆરીએ એક ટૅક્સીએ ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચીફ અવતાર સૈનીને ટક્કર મારીને તેમનો જીવ લઈ લીધો હતો. એ સંદર્ભમાં આ મોરચાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. શહેરનાં તમામ સાઇક્લિસ્ટ ગ્રુપ્સમાં આ સાઇલન્ટ મોરચાનો સંદેશ મોકલવામાં આવ્યો છે.



મેસેજમાં કહેવામાં આવ્યું છે કે આપણે મંત્રાલયના ગેટ પર જઈને સાઇલન્ટ પ્રોટેસ્ટ યોજીશું અને પૉલિસી-મેકર્સને મળવા માટેની અપૉઇન્ટમેન્ટ માગીશું, જેથી આપણે તેમની સમક્ષ રસ્તાઓને સાઇક્લિસ્ટો, રનર્સ અને રાહદારીઓ માટે સુરક્ષિત કરવાની માગણી મૂકી શકીએ.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2024 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK