Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Corona Updates: મુંબઈમાં બીજી લહેરનાં સૌથી ઓછાં મૃત્યુ નોંધાયાં

Mumbai Corona Updates: મુંબઈમાં બીજી લહેરનાં સૌથી ઓછાં મૃત્યુ નોંધાયાં

Published : 04 August, 2021 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ૨૮૮ કેસ નોંધાયા હતા

તસવીરઃ આશિષ રાજે

તસવીરઃ આશિષ રાજે


શહેરમાં ગઈ કાલે ૨૯,૦૩૩ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૦.૯૯ ટકા પૉઝિટિવિટી સાથે ૨૮૮ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીની સંખ્યામાં થોડો-થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ૩ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાંથી બે દરદી ૪૦ વર્ષથી નીચેની ઉંમરના અને એક દરદી સિનિયર સિટિઝન હતો. બીજી લહેર શરૂ થયા બાદ એક દિવસમાં મૃતકનો આ સૌથી નીચો આંકડો છે. આ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક ૧૫,૯૧૧ થયો છે. ગઈ કાલે ૪૧૨ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૫,૬૫૯ કેસમાંથી ૭,૧૨,૭૨૩ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો વધુ ઘટીને ૪૬૧૬ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ૧૫૫૫ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા બે થઈ છે, એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૪૮ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૩૨ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૩૦ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2021 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK