Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કામ ન મળતું હોવાથી મરાઠી ઍક્ટર તુષાર ઘાડીગાવકરે આત્મહત્યા કરી

કામ ન મળતું હોવાથી મરાઠી ઍક્ટર તુષાર ઘાડીગાવકરે આત્મહત્યા કરી

Published : 22 June, 2025 11:44 AM | Modified : 23 June, 2025 06:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની પત્ની બહારથી આવી અને તેણે બહુ વાર સુધી દરવાજો ખખડાવ્યો છતાં તુષારે દરવાજો ન ખોલ્યો ત્યારે તેણે પાડોશી અને પોલીસને જાણ કરી હતી

મરાઠી ઍક્ટર તુષાર ઘાડીગાવકરે આત્મહત્યા કરી

મરાઠી ઍક્ટર તુષાર ઘાડીગાવકરે આત્મહત્યા કરી


મરાઠી નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં ઍક્ટિંગ કરનાર ૩૪ વર્ષના તુષાર ઘાડીગાવકરે ગઈ કાલે તેના ગોરેગામ-વેસ્ટના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ગોરેગામ પોલીસે જણાવ્યું હતું કે તેને ઘણા દિવસથી કામ મળ્યું ન હોવાથી તે ડિપ્રેશનમાં હતો અને આમ હતાશામાં આવીને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.


ગોરેગામ પોલીસે કહ્યું હતું કે તેની પત્ની બહારથી આવી અને તેણે બહુ વાર સુધી દરવાજો ખખડાવ્યો છતાં તુષારે દરવાજો ન ખોલ્યો ત્યારે તેણે પાડોશી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતાં તુષારે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જણાઈ આવ્યું હતું. તેને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે કામ ન મળતાં હતાશામાં સરી પડેલા તુષારને દારૂની લત લાગી હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



તુષારના આત્મહત્યાના સમાચાર મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ફરી વળતાં અનેક કલાકાર-કસબીઓએ આંચકો ખાધો હતો અને દુ:ખ વ્યક્ત કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK