મલબાર હિલમાં રહેતાં જ્યોતિ શાહની તેમના નવા રાખેલા નોકર કનૈયા પંડિતે ૧૨ માર્ચે હત્યા કરી હતી
ઘરનોકર દ્વારા જ્યોતિ શાહની હત્યા થઈ હતી
મલબાર હિલમાં રહેતાં જ્યોતિ શાહની તેમના નવા રાખેલા નોકર કનૈયા પંડિતે ૧૨ માર્ચે હત્યા કરી હતી. એ વખતે તેમણે હાથમાં પહેરેલી ૩ લાખ રૂપિયાની હીરાજડિત બે બંગડીઓ ચોરીને કનૈયા નાસી ગયો હતો. જોકે મલબાર હિલ પોલીસે ઝડપી તપાસ કરીને તેને ઘટનાના ૨૪ જ કલાકમાં બિહાર જતી ટ્રેનમાંથી ભુસાવળ ખાતે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની મદદથી ઝડપી લીધો હતો. પૂછપરછ વખતે બહુ સહકાર ન આપી રહેલા કનૈયા પાસેથી આખરે પોલીસે બંગડીની માહિતી કઢાવી હતી. કનૈયાએ એ બંગડીઓ પોતાના ઘરે ચોખાની ગૂણમાં છુપાવી હતી જે આખરે પોલીસે હસ્તગત કરી છે.