Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‘અમારી પાસે 225 ધારાસભ્યોનું સમર્થન’ અજિત પવારનો દાવો: ઉદ્ધવ ઠાકરે પર સીધું નિશાન

‘અમારી પાસે 225 ધારાસભ્યોનું સમર્થન’ અજિત પવારનો દાવો: ઉદ્ધવ ઠાકરે પર સીધું નિશાન

11 February, 2024 06:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પવારે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, 26 નવેમ્બર, 2008ના રોજ જ્યારે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન સત્તામાં હતું ત્યારે આતંકવાદી હુમલા થયા ત્યારે આવી કોઈ માગ કરવામાં આવી ન હતી

અજિત પવારની ફાઇલ તસવીર

અજિત પવારની ફાઇલ તસવીર


મહારાષ્ટ્રમાં ‘વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ’ પર મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર (Maharashtra Politics)ને બરતરફ કરવાની વિપક્ષની માગ વચ્ચે, નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે (Ajit Pawar) કહ્યું છે કે રાજ્ય સરકાર (Maharashtra Politics) પાસે 288 સભ્યોની વિધાનસભામાં 225 બેઠકો છે. પવારે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, 26 નવેમ્બર, 2008ના રોજ જ્યારે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન સત્તામાં હતું ત્યારે આતંકવાદી હુમલા થયા ત્યારે આવી કોઈ માગ કરવામાં આવી ન હતી.


આ કાર્યક્રમમાં કૉંગ્રેસના નેતા બાબા સિદ્દીકી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હતા. પવારે કહ્યું કે, “વિપક્ષે આજે સરકાર (Maharashtra Politics)ને બરતરફ કરવાની માગ કરી છે. અમારી મહાયુતિ (ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધન)ને 225 ધારાસભ્યોનું સમર્થન છે.”



તેમણે કહ્યું કે, “કેટલાક લોકો ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે... જ્યારે આવું નથી. જ્યારે 26/11ના આતંકવાદી હુમલા થયા ત્યારે માંગ કરવામાં આવી ન હતી.”


પવારે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં તાજેતરની હિંસાની ઘટનાઓને કારણે વિપક્ષોએ તેમને નિશાન બનાવ્યા છે અને તેઓ તે ઘટનાઓનો બચાવ કરી રહ્યા નથી અથવા તેને ન્યાયી ઠેરવતા નથી. શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો હતો અને તેની બરતરફી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી.

અભિષેક ઘોસાલકરની ક્રૂર હત્યા


શિવસેના (UBT) નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર અભિષેક ઘોસાલકરની (40) ગુરુવારે સાંજે ઉત્તરીય ઉપનગરીય બોરીવલી (વેસ્ટ)માં `ફેસબુક લાઈવ` સત્ર દરમિયાન `સામાજિક કાર્યકર્તા` દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોર, મોરિસ નોરોન્હાએ થોડા સમય પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ પહેલા 2 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મુંબઈ નજીક ઉલ્હાસનગરમાં પોલીસ સ્ટેશનની અંદર એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના સ્થાનિક નેતાને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં શિવસેનાના નેતાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

NCP નેતા અજિત પવારની પત્નીના પોસ્ટર કર્યા કાળા, મોઢા પર ફેંકી કાળી શાહી

મહારાષ્ટ્રના બારામતીમાં ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્નીના પોસ્ટર પર કાળી શાહી ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે અજિત પવારની પત્ની સુનેત્રા પવારને બારામતીથી લોકસભા સીટ માટે ઉમેદવાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે બારામતીથી સાંસદ છે. તમને જણાવી દઈએ કે પુણેની બારામતી લોકસભા સીટ પવાર પરિવારની પરંપરાગત સીટ માનવામાં આવે છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, શરદ પવાર જૂથના કાર્યકરો NCP પાર્ટી અને તેનું પ્રતીક અજિત પવારને જવાથી નારાજ છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે અજિત પવારની પત્ની સુનેત્રા પવાર બારામતીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. આવી સ્થિતિમાં અજાણ્યા લોકોએ બારામતીમાં લગાવેલા સુનેત્રા પવારના પોસ્ટરને કાળા કરી દીધા હતા. જો કે આ મામલો સામે આવતા જ પોલીસ અને સ્થાનિક લોકોએ આ પોસ્ટરને હટાવી દીધું હતું.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 06:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK