બંગલાદેશી ને રોહિંગ્યા ઘૂસણખોરોને પરમિટ આપી હોવાની તપાસ
ફાઇલ તસવીર
મીરા-ભાઈંદર રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા આશરે ૩૦ જેટલી રિક્ષાને પરમિટ શંકાસ્પદ રીતે ઇશ્યુ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો બાદ મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ દાવો કર્યો હતો કે આ પરમિટો બંગલાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને આપવામાં આવી છે જેને કારણે સુરક્ષાવ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.
આ ફરિયાદ બાદ હરકતમાં આવેલા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે તમામ ૩૦ કેસોની પ્રાથમિક તપાસ પૂરી કરી છે. આ અરજદારોએ મોટર વ્હીકલ ઍક્ટ મુજબ જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા. એમાં મામલતદાર દ્વારા આપવામાં આવેલું રેસિડેન્શિયલ સર્ટિફિકેટ, ઈ-આધાર કાર્ડ, પૅન કાર્ડ અને પોલીસ વેરિફિકેશન રિપોર્ટનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
તપાસ દરમ્યાન જો કોઈ દસ્તાવેજો નકલી જણાશે અથવા પ્રક્રિયામાં કોઈ અધિકારીની સંડોવણી બહાર આવશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને પરમિટો રદ કરવામાં આવશે.
