Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra: સીએમની આગેવાની હેઠળ કેબિનેટનું વિસ્તરણ 2 જૂનની આસપાસ થવાની સંભાવના

Maharashtra: સીએમની આગેવાની હેઠળ કેબિનેટનું વિસ્તરણ 2 જૂનની આસપાસ થવાની સંભાવના

24 May, 2023 12:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શિવસેના(Shiv Sena)ના નેતા ભરત ગોગાવલે(Bharat Gogavale)એ મંગળવારે જણાવ્યું હતું કે એકનાથ શિંદે(Eknath Shinde)ની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર કેબિનેટ(Maharashtra Cabinet)નું વિસ્તરણ 2 જૂનની આસપાસ થશે.

સીએમ એકનાથ શિંદે

સીએમ એકનાથ શિંદે


શિવસેના(Shiv Sena)ના નેતા ભરત ગોગાવલે(Bharat Gogavale)એ મંગળવારે જણાવ્યું હતું કે એકનાથ શિંદે(Eknath Shinde)ની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર કેબિનેટ(Maharashtra Cabinet)નું વિસ્તરણ 2 જૂનની આસપાસ થશે.સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેણે પોતે પણ મંત્રાલયમાં સ્થાન મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે જણાવ્યું હતું કે નવા સભ્યોને સામેલ કરવામાં આવે તો વર્તમાન પ્રધાનોને રાહત મળશે, કારણ કે વર્તમાન તાકાત સાથે સત્ર દરમિયાન વિધાનસભાના બે ગૃહોનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.



સેનાના અન્ય વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે પણ પત્રકારોને જણાવ્યું હતું કે કેબિનેટનું વિસ્તરણ ટૂંક સમયમાં થશે કારણ કે "બધા માર્ગ અવરોધો હવે દૂર થઈ ગયા છે."


ગયા વર્ષે શિંદેના બળવાને પગલે તત્કાલીન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનામાં વિભાજન થયા પછી, ચૂંટણી પંચે ફેબ્રુઆરી 2023 માં શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી. ઠાકરે જૂથ હવે શિવસેના (UBT) તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો: "મંદિરો પર હુમલો સ્વીકાર્ય નહીં" ઓસ્ટ્રેલિયાના PMએ વડા પ્રધાન મોદીના બોલ ઝીલ્યા


નવી કેબિનેટમાં શિવસેનાના શિંદે જૂથના અગ્રણી નેતા સંજય શિરસાટને સ્થાન મળશે તેવી ચર્ચા થઈ રહી છે. એક ટીવી ઈન્ટરવ્યુમાં સંજય શિરસાટે કેબિનેટ વિસ્તરણને લઈને ઘણા સવાલો પૂછ્યા હતા, જેના જવાબ તેમણે આપ્યા છે.

જ્યારે સંજય શિરસાટને પૂછવામાં આવ્યું કે ઘણા ધારાસભ્યો નારાજ હોવાનું કહેવાય છે. તમે તેના વિશે શું કહો છો? આ અંગે સંજય શિરસાટે કહ્યું કે, નારાજગી તો થવી જ જોઈએ, જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે ત્યારે દરેકને સ્થાન મળતું નથી. ઉદાહરણ તરીકે છેલ્લી વખત જ્યારે મને કેબિનેટમાં સ્થાન ન મળ્યું ત્યારે હું નિરાશ થયો હતો. પરંતુ અવો રોષ હોય છે. દરેક વ્યક્તિ મંત્રી બની શકતી નથી. દરેક જણ મુખ્યમંત્રી નથી બનતું કે દરેક નાયબ મુખ્યમંત્રી નથી બનતું.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK