Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકારની કૅબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય

સરકારની કૅબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય

Published : 16 April, 2025 11:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેલમાં કેદી આત્મહત્યા કરે કે અકુદરતી મૃત્યુ થાય તો પરિવારને એક લાખથી પાંચ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ગઈ કાલે મુંબઈમાં કૅબિનેટની બેઠક મળી હતી. નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર સહિતના પ્રધાનોએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ કેદીઓ આત્મહત્યા કરીને કે અકુદરતી રીતે મૃત્યુ પામતા હોવાનું જાણવા મળ્યું છે. કેદીનું મૃત્યુ થવાથી તેનો પરિવાર રઝળી પડે છે એટલે આવા પરિવારને મદદ કરવા માટે કૅબિનેટ મંડળે એક લાખથી પાંચ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. આત્મહત્યાના મામલામાં એક લાખ રૂપિયા તો અકુદરતી રીતે કેદીનું અવસાન થાય તો પાંચ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. કૅબિનેટની બેઠકમાં વિધિ અને ન્યાય વિભાગ, ગૃહ વિભાગ, નગરવિકાસ વિભાગ, મહેસૂલ અને  વન વિભાગ તેમ જ ઉચ્ચ શિક્ષણ  વિભાગ સંબંધી મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2025 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK