Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બહુ બૂમાબૂમ કર્યા બાદ મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે વિધાનસભાની ચૂંટણી લડવાનું માંડી વાળ્યું

બહુ બૂમાબૂમ કર્યા બાદ મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે વિધાનસભાની ચૂંટણી લડવાનું માંડી વાળ્યું

Published : 05 November, 2024 12:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મરાઠા સમાજ વતી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને પણ નામ પાછાં ખેંચવાનો નિર્દેશ કર્યો હતો

મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલ

મહારાષ્ટ્ર મહાસંગ્રામ

મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલ


મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી કરીને વારંવાર આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે રવિવારે વિધાનસભાની ચૂંટણીમાં મરાઠા સમાજના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી હતી. જોકે ગઈ કાલે મનોજ જરાંગે પાટીલે વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય પાછો લીધો હતો અને મરાઠા સમાજ વતી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને પણ નામ પાછાં ખેંચવાનો નિર્દેશ કર્યો હતો. મનોજ જરાંગે પાટીલે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરતી વખતે ગઈ કાલે કહ્યું હતું કે ‘મરાઠા સમાજને આરક્ષણ આપવાનું કહેતા હોય એવા ઉમેદવારોને અમારો સમાજ મદદ કરશે. મરાઠા સમાજને પરેશાન કર્યો છે તેમને સમાજના મતદારોએ બરાબરનો પાઠ ભણાવવો જોઈએ. બાકી મહારાષ્ટ્રની જનતા સમજદાર છે. તે યોગ્ય પક્ષ અને ઉમેદવારની પસંદગી કરશે.’
મનોજ જરાંગે પાટીલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા સમાજને આરક્ષણ ન આપવાનો ગંભીર આરોપ કર્યો છે અને મહાયુતિના ઉમેદવારોને મત ન આપવાનો નિર્દેશ મરાઠા સમાજને આપ્યો હતો એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણીમાં ૧૫થી ૨૦ ઉમેદવારો ઊભા રાખવાની રવિવારે જાહેરાત પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2024 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK