Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩૦ ઉપવાસનાં માસક્ષમણ તપ આરાધક સાધ્વી પરમ નેમપ્રિયાજી મહાસતીજીનો પારણા મહોત્સવ યોજાયો

૩૦ ઉપવાસનાં માસક્ષમણ તપ આરાધક સાધ્વી પરમ નેમપ્રિયાજી મહાસતીજીનો પારણા મહોત્સવ યોજાયો

Published : 21 August, 2024 02:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માસક્ષમણ તપ પારણા મહોત્સવ અનેક આત્માઓ માટે તપની પ્રેરણાનો પ્રેરક મહોત્સવ બન્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પરમધામના પ્રાંગણમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં ૩૦ ઉપવાસનાં આરાધક પૂજ્ય શ્રી પરમ નેમપ્રિયાજી મહાસતીજીના તપની પૂર્ણતાએ ઉજવાયેલો માસક્ષમણ તપ પારણા મહોત્સવ અનેક આત્માઓ માટે તપની પ્રેરણાનો પ્રેરક મહોત્સવ બન્યો હતો.


ચાર મહિના પહેલાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારાં બાવીસ વર્ષનાં નૂતન દીક્ષિત મહાસતીજીએ આટલા અલ્પ દીક્ષાપર્યાયમાં ૩૦ ઉપવાસની ઉગ્રાતિઉગ્ર માસક્ષમણ તપની આરાધના કરીને પોતાના દૃઢ મનોબળ અને આત્મસામર્થ્યનાં દર્શન કરાવ્યાં હતાં. તેમના તપની અનુમોદના કરવા આ પારણા મહોત્સવમાં પ્રત્યક્ષ તેમ જ લાઇવના માધ્યમથી દેશવિદેશના હજારો ભાવિકો જોડાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2024 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK