Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Ladki Bahin Yojana: મહારાષ્ટ્રની લાડકી બહેનોને નારાજ કરતા સમાચાર! અપેક્ષાઓ પર ફરી વળ્યું પાણી

Ladki Bahin Yojana: મહારાષ્ટ્રની લાડકી બહેનોને નારાજ કરતા સમાચાર! અપેક્ષાઓ પર ફરી વળ્યું પાણી

Published : 06 May, 2025 01:55 PM | Modified : 07 May, 2025 07:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ladki Bahin Yojana: આર્થિક સ્થિતિને કારણે હાલમાં 2,100 રૂપિયા આપવાનું શક્ય નહીં બને. આ યોજના ચાલુ જ રહેશે અને સરકાર વચન પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Ladki Bahin Yojana: મહારાષ્ટ્રમાં લાડલી બહિણ યોજના અંતર્ગત લાયક મહિલા ઉમેદવારોને ૧૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. આ યોજના વિધાનસભાની જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે મહાયુતિએ રાજ્યની બહેનોને આપેલું વચન છે. પણ મહાયુતિ સરકારમાં આવી ગઈ ત્યાર પછી આ યોજનાને લઈને વિવિધ અટકળો વહેતી રહે છે. વળી, આ ધનરાશિ ૧૫૦૦થી વધારીને ૨૧૦૦ કરવામાં આવશે એવા પણ વાયદા કરવામાં આવ્યા હતા. હવે એને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.


પરંતુ હવે મહાગઠબંધન સરકારના મંત્રીઓએ જ એ વાત કરી છે કે મહિલાઓને ૧૫૦૦ રૂપિયા જ આપવામાં આવશે. ૨૧૦૦ રૂપિયા નહીં. જો કે આ સમાચાર બાદ મહારાષ્ટ્રની લાડકી બહેનોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. (Ladki Bahin Yojana) સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટે આ વાત કરી હતી.



લાયક મહિલાઓમાં એવી પણ વાતો ફેલાઈ હતી કે શું આ યોજના યોજના બંધ થઈ જશે?` શું યોજના માટે પૂરતા પૈસા ઉપલબ્ધ નથી? પણ એ વાત ખોટી છે. સંજય શિરસાટે કહ્યું કે આ યોજના શરૂ જ રહેવાની છે. અને આ સરકારનું વચન છે. અને આ વચન અમે પાળીશું જ. અને વાત રહી રાજ્યની તિજોરી પર પડતી નાણાકીય બોજની તો એમાં એવું છે કે તેની માટે તો અન્ય વિવિધ વિકલ્પો છે. સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટે કહ્યું કે, "આપણે લાડકી બહિણ યોજનાને બંધ નહીં જ કરીએ. અને આ હકીકત છે"


સાથે જ તેઓએ એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે લાડકીબહેન યોજનાની ધનરાશિ અપર્યાપ્ત હોવાથી આદિજાતિ વિકાસ અને સામાજિક ન્યાય વિભાગ તરફથી પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગને ભંડોળ આપવામાં આવી રહ્યું છે. આમ કહી સંજય શિરસાટે પણ આ અંગે સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી.

Ladki Bahin Yojana: તેઓએ પોતાની વાતમાં આગળ કહ્યું કે "મને ફેબ્રુઆરીમાં લાડકી ભાઈ યોજના સંબંધિત એક ફાઇલ મળી હતી. ત્યારે પણ મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે આ ખાતાંઓ દ્વારા લઘુમતીઓ, દલિતો વગેરેને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ. તેથી, આ ખાતાઓમાં ભંડોળ બિલકુલ ઘટાડવું જોઈએ નહીં." અને ફાઇલમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે મારા ખાતામાં ભંડોળ ઘટાડવું જોઈએ નહીં કે ડાયવર્ટ નહીં કરવું"


યોજના બંધ નહીં થાય પણ અત્યારે ૨૧૦૦ રૂપિયા સુધી ધનરાશિ વધારશે નહિ

તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે "આર્થિક સ્થિતિને કારણે હાલમાં 2,100 રૂપિયા આપવાનું શક્ય નથી, તે વાત સાચી છે. પરંતુ આનો અર્થ એ નથી કે અમે આ યોજના (Ladki Bahin Yojana)માંથી છટકી રહ્યા છીએ. આ યોજના ચાલુ જ રહેશે અને સરકાર વચન પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે."

 

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK