Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકશાહીનું સ્તર ખૂબ નીચે ગયું છે, બધા રાજકીય પક્ષોએ આત્મચિંતન કરવાની જરૂર

લોકશાહીનું સ્તર ખૂબ નીચે ગયું છે, બધા રાજકીય પક્ષોએ આત્મચિંતન કરવાની જરૂર

Published : 12 July, 2024 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે મહારાષ્ટ્રના વિધાનભવનમાં કહ્યું...

ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડનું ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનભવનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડનું ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનભવનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.


ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ગઈ કાલે મહારાષ્ટ્રના વિધાનભવનમાં જૉઇન્ટ સેશનને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું હતું કે ‘લોકશાહીનું સ્તર ખૂબ નીચે ગયું છે એટલે બધા રાજકીય પક્ષોએ આ વિશે આત્મચિંતન કરવું જોઈએ. સત્તાધારી અને વિરોધ પક્ષો વચ્ચે જોવા મળતી વાતચીત ગાયબ થઈ ગઈ છે. આથી અત્યારે સંસદીય લોકશાહીમાં કંઈ બરાબર નથી. આપણે સંસદના કામકાજમાં વિક્ષેપનો સામનો કરી રહ્યા છીએ. સૂત્રોચ્ચાર કરવાની અને વેલમાં ધસી આવવાની સ્થિતિ સંસદ કે રાજ્યસભાના કોઈ પણ ચૅરમૅન કે સ્પીકર માટે દુઃખદ બની જાય છે. બીજાઓના મતને આપણે માન પણ નથી આપી રહ્યા. રાજકીય પક્ષો મોટા ભાગે ટકરાવાનો અને વિરોધાત્મક દૃષ્ટિકોણ અપનાવી રહ્યા છે. નૈતિકતા અને સદાચાર ભારતમાં સાર્વજનિક જીવનની ઓળખ રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2024 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK