એમએનએસના પ્રમુખની અયોધ્યાયાત્રાના વિવાદ વચ્ચે મુંબઈમાં લાગ્યું આવું ચેતવણીસૂચક હોર્ડિંગ
Raj Thackeray
રાજ ઠાકરે
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આવતા મહિને અયોધ્યાની મુલાકાત લેવાના છે ત્યારે જો રાજ ઠાકરેને નુકસાન પહોંચ્યું તો સમગ્ર મહારાષ્ટ્રમાં એના તીવ્ર પડઘા પડશે એવી ચેતવણી દર્શાવતું હોર્ડિંગ દક્ષિણ-મધ્ય મુંબઈમાં લગાવવામાં આવ્યું છે.
રાજ ઠાકરે પાંચમી જૂને અયોધ્યા જઈ રહ્યા છે, પણ ઉત્તર પ્રદેશ બીજેપીના સંસદસભ્ય બ્રિજ ભૂષણ શરણ સિંહે તાજેતરમાં જ કહ્યું હતું કે ભૂતકાળમાં ઉત્તર ભારતીયોનું અપમાન કરવા બદલ રાજ ઠાકરે શહેરની મુલાકાત લેતાં પહેલાં માફી માગે.
એમએનએસના કાર્યકર સંતોષ નલવાડે દ્વારા લાલબાગ વિસ્તારમાં મુકાયેલા હોર્ડિંગમાં જણાવાયું છે
કે જો રાજ ઠાકરેનો વાળ પણ
વાંકો થયો તો આખા મહારાષ્ટ્રમાં રોષ ફરી વળશે.
હોર્ડિંગમાં રાજ ઠાકરે, તેમના પુત્ર અમિત અને એમએનએસના નેતા બાળા નાંદગાંવકરના ફોટો છે. આ અગાઉ રાજ ઠાકરેને ધમકી આપતો પત્ર મળ્યા બાદ બાળા નાંદગાંવકરે આવી જ ચેતવણી આપી હતી.
રાજ્યની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર્સ દૂર કરવા માટે રાજ ઠાકરેએ રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું એને પગલે તેમને આ ધમકીપત્ર મળ્યો હતો.