Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કુર્લાની સનલાઇટ હોટેલમાં આગ, કોઈ જાનહાનિ નહીં

કુર્લાની સનલાઇટ હોટેલમાં આગ, કોઈ જાનહાનિ નહીં

Published : 13 November, 2025 11:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસોડામાં જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી પ્રસરી હતી તેમ જ હોટેલનું ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.

હોટેલનું ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.

હોટેલનું ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.


કુર્લામાં લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર શીતલ તળાવ નજીક આવેલી સનલાઇટ હોટેલમાં ગઈ કાલે બપોરે આગ લાગી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મુંબઈ ફાયર-બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળના હોટેલના બિલ્ડિંગમાં બપોરે ૩.૩૯ વાગ્યે આગ લાગતાં ચાર ફાયર-એન્જિનની મદદથી દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી એમ BMCના અધિકારીએ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આગ હોટેલના રસોડામાં લાગી હોવાનું જણાયું હતું. રસોડામાં જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી પ્રસરી હતી તેમ જ હોટેલનું ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK