દિલ્હીમાં મીડિયા દ્વારા પુછાયેલા સવાલ સામે એકનાથ શિંદેનો રમૂજી પ્રશ્ન
ગઈ કાલે દિલ્હીમાં એકનાથ શિંદે.
એકનાથ શિંદેએ બુધવારે દિલ્હીમાં એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. વારકરીઓ દ્વારા ભગવાન પાંડુરંગજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે તમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવાય અને અનેક વિધાનસભ્યો પણ મુખ્ય પ્રધાનના પદે તમને બેસાડાય એવી માગણી કરી રહ્યા છે તો શું ભવિષ્યમાં તમે મુખ્ય પ્રધાન બનશો એવો પ્રશ્ન પુછાતાં એકનાથ શિંદેએ સામે રમૂજી સવાલ પૂછતાં કહ્યું હતું કે ‘હમણાં CMના પદ માટે વેકેન્સી છે?’ આ સાંભળીને ત્યાં હાજર બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘બધા જ કાર્યકરોની એવી ઇચ્છા હોય છે કે તેમના નેતા મુખ્ય પ્રધાન બને. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોને લાગતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બને. અમે કામ કરનારા લોકો છીએ. અમને શું મળશે, તમને શું મળશે એવી વૃત્તિ મહાયુતિમાં નથી.’
