Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાલાસોપારામાં ૪૧ ગેરકાયદે બિલ્ડિંગો ઊભાં કરવાના મામલે આર્કિટેક્ટ-એન્જિનિયરોનાં ઘરે પડી EDની રેઇડ

નાલાસોપારામાં ૪૧ ગેરકાયદે બિલ્ડિંગો ઊભાં કરવાના મામલે આર્કિટેક્ટ-એન્જિનિયરોનાં ઘરે પડી EDની રેઇડ

Published : 02 July, 2025 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ વખતે EDને ૩૨ કરોડ રૂપિયાની કિંમતનું સોનું અને રોકડ મળી આવ્યાં હતાં. આ વખતે વસઈ-વિરાર વિસ્તારમાં કુલ ૧૨ જગ્યાએ રેઇડ પાડવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાલાસોપારા-ઈસ્ટના અગ્રવાલનગરમાં ૪૧ બિલ્ડિંગો ગેરકાયદે ઊભાં કરી દેવાના સ્કૅમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ આર્કિટેક્ટ અને એન્જિનિયરોનાં ઘરે રેઇડ પાડવાનું શરૂ કર્યું છે.


અગાઉ આ કેસમાં મે મહિનામાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડીના હૈદરાબાદસ્થિત ઘરે રેઇડ પાડવામાં આવી હતી. એ વખતે EDને ૩૨ કરોડ રૂપિયાની કિંમતનું સોનું અને રોકડ મળી આવ્યાં હતાં. આ વખતે વસઈ-વિરાર વિસ્તારમાં કુલ ૧૨ જગ્યાએ રેઇડ પાડવામાં આવશે.



અગ્રવાલનગરમાં ૪૧ બિલ્ડિંગો ગેરકાયદે જણાતાં તોડી પાડવામાં આવ્યાં હતાં. બિલ્ડિંગોનું બાંધકામ ભૂતપૂર્વ કૉર્પોરેટર સીતારામ ગુપ્તાએ કરાવ્યું હતું. એમાં ગેરકાયદે પરમિશન લેવા માટે એન્જિનિયરો અને આર્કિટેક્ટની સંડોવણી સામે આવી હતી. સ્કૅમ બહાર પડતાં જ અમુક આર્કિટેક્ટ્સ દેશ છોડીને ભાગી ગયા છે, જેમણે આ કામ કરવા માટે લાંચરૂપે રોકડ નહીં પણ ગોલ્ડ લીધું હોવાની શંકા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK