Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા પર ફરી થઈ શકે છે હોબાળો, જાણો કારણ

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા પર ફરી થઈ શકે છે હોબાળો, જાણો કારણ

28 May, 2022 02:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને પતિ રવિ રાણા આજે રામનગરના પ્રખ્યાત મંદિરમાં હનુમાન ચાલીસા અને આરતીનો પાઠ કરશે.

 સાંસદ નવનીત રાણા

Hanuman Chalisa Row

સાંસદ નવનીત રાણા


મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને પતિ રવિ રાણા આજે રામનગરના પ્રખ્યાત મંદિરમાં હનુમાન ચાલીસા અને આરતીનો પાઠ કરશે. તે જ સમયે, પોલીસે NCPને તે જ સ્થળે હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી પણ આપી છે. જો કે એનસીપીને રાણા દંપતિ પહેલા સમય આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાણા દંપતીએ એરપોર્ટથી રામનગર સુધી બાઇક રેલી માટે પરવાનગી માંગી હતી, જેને પોલીસ વિભાગે ઠુકરાવી દીધી હતી. સાથે જ હનુમાન ચાલીસા માટે શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિસરની અંદર મંજૂરીની જરૂર નથી, પરંતુ બહાર સમર્થકો સહિત લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે જ શરતે એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ પ્રકારની અયોગ્ય ઘટના બનશે તો તેની જવાબદારી રાણા દંપતીની રહેશે.



લાઉડસ્પીકરને મંજૂરી નથી


રાણા દંપતી અને એનસીપી વચ્ચે ચાલી રહેલો આ વિવાદ આજે સામસામે જોવા મળશે. તે જ સમયે, પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે બંનેમાંથી કોઈને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તો બીજી બાજુ શહેર એકમના એનસીપી પ્રમુખ દુનેશ્વર પેઠેએ કહ્યું કે લગભગ 1000 કાર્યકરો 12 વાગ્યે રામનગરના મંદિરમાં એકઠા થશે અને હનુમાન ચાલીસી સેમત રામાયણના સુંદરકાંડનો પાઠ કરશે. રાણા દંપતીને પડકાર આપતાં તેમણે એમ પણ કહ્યું કે પુસ્તક વિના હનુમાન ચાલીસાનો પાઠ કરો અને બતાવો.


દિલ્હીમાં મહા આરતી કરવામાં આવી હતી


તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં રાણા દંપતીએ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરમાં મહા આરતી કરી હતી. રાણા દંપતી સારી રીતે જાણતા હતા કે દિલ્હીમાં મહારાષ્ટ્ર જેટલું જોખમ નથી. નહીંતર મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકીને તેમને જેલમાં જવું પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ નવનીત રાણા તેના પતિ સાથે સીધી દિલ્હી પહોંચી હતી અને ત્યારથી બંને અહીં જ રોકાયા હતા. તે જ સમયે, આજે ફરીથી બંને અમરાવતી જવા રવાના થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2022 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK