Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Chaitra Navratri 2021: આજે નવરાત્રિ અને ગુડી પાડવાના દિવસે કરો આ કામ

Chaitra Navratri 2021: આજે નવરાત્રિ અને ગુડી પાડવાના દિવસે કરો આ કામ

13 April, 2021 01:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માતા શક્તિની ઉપાસનાનો તહેવાર મંગળવાર એટલેકે આજથી શરૂ થઈ રહ્યો છે. આ મહાપર્વને લઈને મંદિરોમાં ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું છે. ઘર-ઘરમાં ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપનાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માતા શક્તિની ઉપાસનાનો તહેવાર મંગળવાર એટલેકે આજથી શરૂ થઈ રહ્યો છે. આ મહાપર્વને લઈને મંદિરોમાં ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું છે. ઘર-ઘરમાં ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપનાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તમે દેવીની પૂજા, ઉપાસના અને અર્ચના જરૂર કરો, પરંતુ કોરોના રોગચાળાને રોકવાના નિયમોનું પણ પાલન કરવું જોઈએ. ભૂલશો નહીં કે ગયા વર્ષની જેમ આ વખતે પણ આ તહેવારમાં રોગચાળાની છાયા છે, પરંતુ આ વખતે તેણે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.

ચૈત્રી નવરાત્રીને લઈને દેવી સ્થળો  પર ઉત્સવનું વાતાવરણ, ઘરે જ કરો તૈયારી



ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસથી વિક્રમ સંવતનો નવ સંવત્સર પણ શરૂ થઈ જાય છે. મહારાષ્ટ્ર અને ગોવા સહિતના કોંકણ ક્ષેત્રમાં આજના દિવસે ગુડી પાડવા પણ ઉજવવામાં આવે છે. આ વખતે 22 એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રીનું સમાપન થઈ રહ્યું છે. ચૈત્રી નવરાત્રીના નવમાં દિવસે ભગવાન રામના જન્મદિવસના રૂપે ઉજવાય છે. એને રામનવમી પણ કહેવાય છે. રાક્ષસનો દુષ્ટ નાશ કરનારી માતા દુર્ગાના આર્શીવાદ મેળવવા ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને અનેક ધાર્મિક વિધિઓ પણ કરે છે. દેવી મંદિરોમાં ભીડ તો થાય જ છે, સાથે ભજન-કીર્તનની રમઝટ આખા વાતાવરણમાં સંભળાય છે અને મનને પ્રફૂલ્લિત કરે છે. આ વખતે કોરોના વાઈરસના કારણે વાતાવરણ કંઈક અલગ જ છે.


આરાધના, ઉપાસના અને અર્ચના સાથે દરેક સાવચેતીનું પણ ધ્યાન રાખવું

ગયા વર્ષની જેમ આ વખતે મંદિરને બંધ કરવામાં નથી આવ્યા, પરંતુ એક સમયે પાંચથી વધું શ્રદ્ધાળુંઓને મંદિરમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને ભીડથી બચવા અને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો તમે ઉપવાસ રાખો છો તો તે પણ ધ્યાન રાખો કે ખાલી પેટ ન રહેશો, પોતાને કમજોર ન થવા દો, કારણકે કમજોર લોકોને કોરોના વાઈરસ ઝડપથી પોતાના ચપેટમાં લે છે. એટલે ઉત્સાહથી પર્વની ઉજવણી કરો, પણ કોરોના રોગચાળાથી બચાવવાના ઉપાયોના ઈમાનદારી અને પ્રામાણિક્તા સાથે પગલાં પણ અનુસરો. 


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK