Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કામોઠેની જ્વેલરી શૉપમાં ધાડ પાડીને નાસેલો ચોર બોરીવલી સ્ટેશન પાસેથી ઝડપાયો

કામોઠેની જ્વેલરી શૉપમાં ધાડ પાડીને નાસેલો ચોર બોરીવલી સ્ટેશન પાસેથી ઝડપાયો

Published : 09 September, 2025 12:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કસ્તુરબા માર્ગ પોલીસે આ સંદર્ભે નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પાસે માહિતી કઢાવતાં ચોરી થઈ હોવાની વાત કન્ફર્મ થઈ હતી

કામોઠેની જ્વેલરી શૉપમાં ધાડ પાડીને નાસેલો ચોર બોરીવલી સ્ટેશન પાસેથી ઝડપાયો

કામોઠેની જ્વેલરી શૉપમાં ધાડ પાડીને નાસેલો ચોર બોરીવલી સ્ટેશન પાસેથી ઝડપાયો


બોરીવલી-ઈસ્ટના કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનની ટીમે પૅટ્રોલિંગ દરમ્યાન બોરીવલી સ્ટેશન પાસે શંકાસ્પદ રીતે ફરી રહેલા શખ્સની તપાસ કરતાં તે પનવેલના કામોઠે વિસ્તારમાંથી ચોરી કરીને નાસ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. એટલું જ નહીં, તેની પાસેથી​ ૭૮ તોલાના સોનાના દાગીના, ૧૮ નાના હીરા અને ૧,૩૯,૨૦૦ રૂપિયાની રોકડ સહિતની ચોરાયેલી મતા જપ્ત કરવામાં આવી હતી.



આરોપી કરણસિંહ નાથુસિંહ ખારવાર મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કેલવા ગામનો રહેવાસી છે. કસ્તુરબા માર્ગ પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તેણે શનિવારે પનવેલના કામોઠેમાં આવેલી પારસનાથ જ્વેલર્સમાં ચોરી કરી હતી. કસ્તુરબા માર્ગ પોલીસે આ સંદર્ભે નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પાસે માહિતી કઢાવતાં ચોરી થઈ હોવાની વાત કન્ફર્મ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK