Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગિરગામ ચોપાટી નજીકના ઇસ્કૉન મંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી

ગિરગામ ચોપાટી નજીકના ઇસ્કૉન મંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી

Published : 23 July, 2025 12:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે ઈ-મેઇલ મોકલનાર સામે ફરિયાદ નોંધી

ગિરગામ ચોપાટી નજીકના ઇસ્કૉન મંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી

ગિરગામ ચોપાટી નજીકના ઇસ્કૉન મંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી


મુંબઈમાં બૉમ્બથી ઉડાડી દેવાની ધમકીથી ખળભળાટ મચી ગયો છે. ઈ-મેઇલ પર આવતી સતત ધમકીને કારણે પોલીસ અને સાઇબર વિભાગ પરેશાન  છે. આ વખતે રવિવારે સાંજે ગિરગાવના કે. એમ. મુનશી રોડ પર આવેલા ઇસ્કૉન મંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ઈ-મેઇલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. મંદિરની સત્તાવાર ઈ-મેઇલ આઇડી પર મોકલવામાં આવેલી એક અનામી ઈ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ચોક્કસ રાજકીય માગણીઓ પૂર્ણ નહીં થાય તો ૧૬ કલાકમાં RDXથી મંદિરમાં વિસ્ફોટ કરવામાં આવશે. આ ઘટના બાદ મંદિર તેમ જ આસપાસના વિસ્તારમાં સ્કૅનિંગ કરવામાં આવ્યું હતું, પણ RDX જેવી કોઈ વસ્તુ ન મળતાં ગાવદેવી પોલીસે ખોટી ધમકી આપનાર સામે ફરિયાદ નોંધી છે.

ગાવદેવી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઇસ્કૉન મંદિરના સુરક્ષા-મૅનેજર રાહુલ ગોવેકરે રવિવારે સાંજે ધમકી મળી હોવાની જાણ કરી હતી. આ મામલે વધુ માહિતી મેળવતાં મંદિરના આંતરિક કામ માટે વાપરવામાં આવતી ઈ-મેઇલ આઇડી પર ધમકીભરી ઈ-મેઇલ ૨૦ જુલાઈએ સાંજે સાડાસાત વાગ્યે મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2025 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK