Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હોર્ડિંગ-દુર્ઘટનાનાં મોત માટે ઉદ્ધવ ઠાકરે અને સુનીલ રાઉત જવાબદાર : કિરીટ સોમૈયા

હોર્ડિંગ-દુર્ઘટનાનાં મોત માટે ઉદ્ધવ ઠાકરે અને સુનીલ રાઉત જવાબદાર : કિરીટ સોમૈયા

16 May, 2024 09:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેને ડર છે કે આ કેસમાં તેમના પિતા ઉદ્ધવ ઠાકરેનું નામ ન આવે.

કિરીટ સોમૈયા

કિરીટ સોમૈયા


હોર્ડિંગ-દુર્ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ એક ન્યુઝ-એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોનાં મોત માટે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતનો ભાઈ સુનીલ રાઉત જવાબદાર છે. કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેને ડર છે કે આ કેસમાં તેમના પિતા ઉદ્ધવ ઠાકરેનું નામ ન આવે. એ જ રીતે સંજય રાઉતને પણ ડર છે કે આ કેસની તપાસ કરી રહેલી પોલીસ તેના ભાઈ સુનીલ રાઉતને ન પકડે, કારણ કે તેનું નામ પણ શંકાના દાયરામાં આવી ગયું છે. એ વખતે આ હોર્ડિંગ જ્યાં ઊભું કરવામાં આવ્યું છે એ જગ્યા રાજ્ય સરકાર હસ્તક હતી. ઉદ્ધવ ઠાકરે ૨૮ નવેમ્બરે રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા અને ૭ ડિસેમ્બરે ભાવેશ ભિંડેને એ હોર્ડિંગ ઊભું કરવાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો. એથી આ ૧૪ મોત માટે ઉદ્ધવ ઠાકરે અને સુનીલ રાઉતને જવાબદાર ગણવા જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK