Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra: ફડણવીસ બાદ હવે અશોક ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેને આપી ઑફર, જાણો શું કહ્યું?

Maharashtra: ફડણવીસ બાદ હવે અશોક ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેને આપી ઑફર, જાણો શું કહ્યું?

Published : 22 July, 2025 07:03 PM | Modified : 23 July, 2025 06:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં રાજનૈતિક વાતાવરણ ગરમાયું છે ત્યારે હવે પૂર્વ સીએમ અશોક ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેને ઑફર આપીને ચર્ચા ઊભી કરી છે. ચવ્હાણે ફડણવીસના ઑફર બાદ કહ્યું કે રાજકારણનું કંઈ કહી શકાય નહીં કે ક્યારે શું થઈ જાય? તેમના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)


Ashok Chavan on Uddhav Thackeray: મહારાષ્ટ્રમાં રાજનૈતિક વાતાવરણ ગરમાયું છે ત્યારે હવે પૂર્વ સીએમ અશોક ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેને ઑફર આપીને ચર્ચા ઊભી કરી છે. ચવ્હાણે ફડણવીસના ઑફર બાદ કહ્યું કે રાજકારણનું કંઈ કહી શકાય નહીં કે ક્યારે શું થઈ જાય? તેમના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે.

મહારાષ્ટ્રમાં મોટું રાજકારણ રમાઇ રહ્યું હોવાની અટકળો વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે પણ હવે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં સામેલ થવાનું નોતરું આપ્યું છે. બીજેપીના રાજ્યસભા સાંસદ અશોક ચવ્હાણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આવે તો સારું થાય. નોંધનીય છે કે મૉનસૂન સત્રમાં અંબાદાસ દાનવેની વિદાઈના અવસરે સીએમ દેવેન્દ્ર ફડણીસે ઉદ્ધવ ઠાકરેને સત્તાપક્ષમાં આવવાની ઑફર આપી હતી. આ પછી, બંને નેતાઓ વિધાન પરિષદના અધ્યક્ષના ચેમ્બરમાં મળ્યા. આનાથી રાજકીય ગરમી વધી ગઈ. વાત અહીં અટકી ન હતી. ફડણવીસ અને આદિત્ય ઠાકરે પણ એક હોટલમાં મળ્યા હતા. આ પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવસેના યુબીટી અને ભાજપ ફરીથી નજીક આવવાના છે. હવે ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં જોડાવાનું આમંત્રણ આપીને હલચલ મચાવી દીધી છે. અશોક ચવ્હાણે લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસ છોડી દીધી હતી. આ પછી તેઓ ભાજપમાં જોડાયા.



ચવ્હાણે આપ્યો સીધો પ્રસ્તાવ
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા અશોક ચવ્હાણે પણ ઉદ્ધવને સીધો પ્રસ્તાવ આપ્યો છે. તેમણે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે આવે તો સારું રહેશે. ચવ્હાણે કહ્યું કે રાજકારણમાં મિત્રો રાતોરાત દુશ્મન બની જાય છે અને દુશ્મનો રાતોરાત મિત્ર બની જાય છે. ચવ્હાણના નિવેદનથી તે અટકળોને વેગ મળ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે શું ઉદ્ધવ અને ફડણવીસ ફરી એક સાથે આવશે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે શિવસેના યુબીટી અને મનસે સાથે જોડાણ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે તેવી અપેક્ષા છે. શનિવારે, સીએમ ફડણવીસ અને આદિત્ય ઠાકરે એક જ હોટલમાં જોવા મળ્યા હોવાની ઘણી ચર્ચા થઈ હતી. પછી બંને પક્ષોએ સ્પષ્ટતા કરી કે તે માત્ર એક સંયોગ હતો.


મહારાષ્ટ્રમાં બદલાશે સમીકરણો
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ફરી એકવાર રાજકીય સમીકરણો બનવાની શક્યતા છે. જો ઉદ્ધવ ભાજપ સાથે નહીં જાય અને તેઓ તેમના પિતરાઈ ભાઈ સાથે મળીને લડે, તો મહારાષ્ટ્રમાં વોટ પેટર્ન બદલાઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે પાસે હવે ત્રણ વિકલ્પો છે. પહેલો MVA માં રહેવાનો છે, બીજો રાજ સાથે જવાનો છે. ત્રીજો ભાજપની શક્યતા શોધવાનો છે. જે ફડણવીસે ઓફર કરી હતી. મહારાષ્ટ્રના વર્તમાન રાજકારણમાં, એકનાથ શિંદે સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમના ઘણા મંત્રીઓ વિવાદોથી ઘેરાયેલા છે, જોકે માણિકરાવ કોકાટેના રમી વીડિયો એપિસોડને કારણે શિંદેના મંત્રી વિશે ચર્ચા હાલમાં ઓછી થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK