આરબીઆઇએ ૨૦૨૩ની ૧૯મી મેએ ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી
પ્રતીકાત્મક તસવીર
બૅન્કિંગ-સિસ્ટમમાં ૨૦૦૦ રૂપિયાની ૯૭.૬૨ ટકા નોટ પાછી ફરી છે અને પાછી ખેંચાયેલી આ નોટ પૈકી ૮,૪૭૦ કરોડ રૂપિયાની નોટ લોકો પાસે છે, એમ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે જણાવ્યું હતું.
આરબીઆઇએ ૨૦૨૩ની ૧૯મી મેએ ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. એ પાછી ખેંચવામાં આવી ત્યારે ૩.૫૦ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ની નોટો ચલણમાં હતી. જોકે આ વર્ષની ૨૯મી ફેબ્રુઆરીએ પણ એમાંથી ૮,૪૭૦ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી નથી આવી.
ADVERTISEMENT
૨૦૦૦ રૂપિયાની નોટ કાયદેસર માન્ય છે. દેશમાં આરબીઆઇની ૧૯ ઑફિસોના લોકો આ નોટ બૅન્કમાં જમા કરી શકે અથવા તો એક્સચેન્જ કરી શકે છે.