Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: જેલમાં અનિલ દેશમુખની તબિયત લથડી,જેજે હોસ્પિટલમાં દાખલ 

Mumbai: જેલમાં અનિલ દેશમુખની તબિયત લથડી,જેજે હોસ્પિટલમાં દાખલ 

04 April, 2022 05:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

100 કરોડ વસૂલી કેસ મામલે CBI અનિલ દેશમુખને પણ કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ અનિલ દેશમુખની તબિયત લથડતાં તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

અનિલ દેશમુખ (ફાઈલ ફોટો)

અનિલ દેશમુખ (ફાઈલ ફોટો)


મુંબઈ:  મહારાષ્ટ્ર(Maharashtra)ના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની જેલમાં તબિયત લથડી પડી હતી. તેઓ જેલના બાથરુમમાં પડી ગયા હતાં. ત્યાર બાદ તેમને મુંબઈની જેજે હોસ્પિટલ(Anil Deshmukh Admitted in JJ Hospital)માં દાખલ કરવામાં આવ્યાં છે. જયાં તેમના ખભાની સર્જરી કરવામાં આવી શકે છે. તો બીજી બાજુ આ જ સમયે CBIએ 100 કરોડ વસૂલી કેસ મામલે અનિલ દેશમુખ, સતિન વઝે અને કુંદન શિંદેને કસ્ટડીમાં લીધા છે.  આ તમામને CBI દિલ્હી લઈ જઈને પૂછપરછ કરવાની છે. 

100 કરોડ વસૂલી કેસ મામલે CBI અનિલ દેશમુખને પણ કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ અનિલ દેશમુખની તબિયત લથડતાં તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 



ઉલ્લેખનીય છે કે અનિલ દેશમુખ મની લોન્ડ્રરિંગ કેસ મામલે જેલમાં છે. મની લોન્ડ્રરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી ત્યારથી તેઓ આર્થર રોડ જેલમાં છે. હવે CBI અનિલ દેશમુખને 100 કરોડ વસૂલી કેસ મામલે પૂછપરછ કરવાની તૈયારીમાં છે.  ત્યાં તેમનું સ્વાસ્થ્ય ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અનિલ દેશમુખ વ્હિલચેર પર જોવા મળે છે. જેમાં રહીને અનિલ દેશમુખનો દેખાવ પણ બદલાઈ ગયો છે.  


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2022 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK