100 કરોડ વસૂલી કેસ મામલે CBI અનિલ દેશમુખને પણ કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ અનિલ દેશમુખની તબિયત લથડતાં તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
અનિલ દેશમુખ (ફાઈલ ફોટો)
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)ના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની જેલમાં તબિયત લથડી પડી હતી. તેઓ જેલના બાથરુમમાં પડી ગયા હતાં. ત્યાર બાદ તેમને મુંબઈની જેજે હોસ્પિટલ(Anil Deshmukh Admitted in JJ Hospital)માં દાખલ કરવામાં આવ્યાં છે. જયાં તેમના ખભાની સર્જરી કરવામાં આવી શકે છે. તો બીજી બાજુ આ જ સમયે CBIએ 100 કરોડ વસૂલી કેસ મામલે અનિલ દેશમુખ, સતિન વઝે અને કુંદન શિંદેને કસ્ટડીમાં લીધા છે. આ તમામને CBI દિલ્હી લઈ જઈને પૂછપરછ કરવાની છે.
100 કરોડ વસૂલી કેસ મામલે CBI અનિલ દેશમુખને પણ કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ અનિલ દેશમુખની તબિયત લથડતાં તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે અનિલ દેશમુખ મની લોન્ડ્રરિંગ કેસ મામલે જેલમાં છે. મની લોન્ડ્રરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી ત્યારથી તેઓ આર્થર રોડ જેલમાં છે. હવે CBI અનિલ દેશમુખને 100 કરોડ વસૂલી કેસ મામલે પૂછપરછ કરવાની તૈયારીમાં છે. ત્યાં તેમનું સ્વાસ્થ્ય ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અનિલ દેશમુખ વ્હિલચેર પર જોવા મળે છે. જેમાં રહીને અનિલ દેશમુખનો દેખાવ પણ બદલાઈ ગયો છે.