Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહા વિકાસ આઘાડીનું અસ્તિત્વ રહેશે કે નહીં એના તર્કવિતર્ક વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે દોઢ કલાક બેઠક કરી

મહા વિકાસ આઘાડીનું અસ્તિત્વ રહેશે કે નહીં એના તર્કવિતર્ક વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે દોઢ કલાક બેઠક કરી

Published : 21 January, 2025 01:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીડ અને પરભણીના હત્યારાઓને કડક શિક્ષાની માગણી સાથે ૨૫ જાન્યુઆરીએ મુંબઈમાં જનઆક્રોશ મોરચો કાઢવાનો પણ બન્ને નેતાએ લીધો નિર્ણય

બેઠકની તસવીર

બેઠકની તસવીર


મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ટકશે કે નહીં એને લઈને ચાલી રહેલા તર્કવિતર્ક વચ્ચે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે શરદ પવારના મુંબઈના સિલ્વર ઓક બંગલે પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે દોઢ કલાક બેઠક થઈ હતી. આ સમયે સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પણ હાજર હતા. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની આગામી સ્થાનિક સ્વરાજ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીની રણનીતિ બાબતે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે એને ધ્યાનમાં રાખીને આ બેઠક કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સરપંચ સંતોષ દેશમુખ અને સોમનાથ સૂર્યવંશીના હત્યારાઓને કડક શિક્ષાની માગણી સાથે ૨૫ જાન્યુઆરીએ મુંબઈમાં જનઆક્રોશ મોરચો કાઢવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK