Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેના ચાકણમાં વરસાદ શરૂ થયો તો પણ અજિત પવારે ભાષણ ચાલુ રાખ્યું

પુણેના ચાકણમાં વરસાદ શરૂ થયો તો પણ અજિત પવારે ભાષણ ચાલુ રાખ્યું

12 May, 2024 11:27 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિત પવારે તેમનું ભાષણ ચાલુ રાખતાં કહ્યું હતું કે ‘આપણે ખેડૂતપુત્રો છીએ એટલે વરસાદની જરૂર છે`

અજીત પવાર

અજીત પવાર


લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં પુણે બેઠકમાં સોમવારે મતદાન થવાનું છે ત્યારે ગઈ કાલે પ્રચારના છેલ્લા દિવસે પુણેના ચાકણ વિસ્તારમાં મહાયુતિના ઉમેદવાર શિવાજીરાવ આઢળરાવ પાટીલ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ભાષણ કરી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદને લીધે મંચ પર હાજર લોકો આસપાસ દોડી ગયા હતા. જોકે અજિત પવારે તેમનું ભાષણ ચાલુ રાખતાં કહ્યું હતું કે ‘આપણે ખેડૂતપુત્રો છીએ એટલે વરસાદની જરૂર છે. વરસાદ થયા બાદ જ વાવણી થાય. આથી વરસતા વરસાદમાં સભા લેવા જેવો બીજો કોઈ આનંદ નથી.૨૦૧૯માં અમે ડૉ. અમોલ કોલ્હેને ટિકિટ આપીને ભૂલ કરી હતી. મારી ભૂલની ભરપાઈ આ વખતે કરવાની છે.’


ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં સાતારા લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારે શરદ પવારની જાહેરસભા ચાલતી હતી ત્યારે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો તો પણ શરદ પવારે ભાષણ આપવાનું ચાલુ રાખ્યું હતું. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉદયનરાજે ભોસલેનો શરદ પવારના ઉમેદવાર શશિકાંત શિંદે સામે પરાજય થયો હતો. શરદ પવારનું એ વરસાદમાં ભીંજાઈને કરેલું ભાષણ ખૂબ ગાજ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2024 11:27 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK