Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મૈથિલી પાટીલની અંતિમયાત્રામાં ગામવાસીઓ સ્વયંભૂ જોડાયા, પરિવારજનો ભાંગી પડ્યા

મૈથિલી પાટીલની અંતિમયાત્રામાં ગામવાસીઓ સ્વયંભૂ જોડાયા, પરિવારજનો ભાંગી પડ્યા

Published : 18 June, 2025 10:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લાઇટ ઊપડતાં પહેલાં મૈથિલીએ તેના પિતા મોરેશ્વર પાટીલને પહોંચતાં જ ફોન કરવાનું વચન આપ્યું હતું. દીકરી આ રીતે તેમની પાસે પહોંચશે એવી કલ્પના તેમણે નહોતી કરી

અકસ્માતમાં જીવ ગુમાવનાર ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલનો મૃતદેહ મંગળવારે રાયગડમાં આવેલા ન્હાવા ગામ પહોંચ્યો

અકસ્માતમાં જીવ ગુમાવનાર ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલનો મૃતદેહ મંગળવારે રાયગડમાં આવેલા ન્હાવા ગામ પહોંચ્યો


૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના અકસ્માતમાં જીવ ગુમાવનાર ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલનો મૃતદેહ મંગળવારે રાયગડમાં આવેલા ન્હાવા ગામ પહોંચ્યો હતો. ૨૩ વર્ષની જુવાનજોધ દીકરી ગુમાવ્યાનું દુ:ખ દરેક ગામવાસીના મોઢા પર દેખાતું હતું. ફ્લાઇટ ઊપડતાં પહેલાં મૈથિલીએ તેના પિતા મોરેશ્વર પાટીલને પહોંચતાં જ ફોન કરવાનું વચન આપ્યું હતું. દીકરી આ રીતે તેમની પાસે પહોંચશે એવી કલ્પના તેમણે નહોતી કરી. મૈથિલીના પરિવારજનોના હૈયાફાટ રુદન સાથે આખું ગામ ડૂસકે ચડ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2025 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK