૨૬ જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેમાં પણ ૧૨ નૉન-AC લોકલ ટ્રેનની જગ્યાએ AC ટ્રેનો શરૂ થશે
ફાઇલ તસવીર
સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર ૨૬ જાન્યુઆરીથી ૧૪ ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ દોડશે. ૪ વર્ષના બ્રેક બાદ આ કૉરિડોરમાં AC લોકલ ફરી દોડશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને પનવેલ વચ્ચે કાર્યરત હાર્બર લાઇનમાં અત્યાર સુધી નૉન-AC ટ્રેનો દોડતી હતી. હવે CSMT/વડાલા તરફ ૭ અપ અને પનવેલ/વાશી તરફ ૭ ડાઉન AC ટ્રેનો શરૂ થશે. આ ટ્રેનોને પીક અવર્સમાં મૂકવામાં આવતાં અનેક મુસાફરોને રાહત રહેશે, પરંતુ નૉન-AC ટ્રેનોની જગ્યાએ જ AC ટ્રેનો મુકાતાં સામાન્ય મુસાફરોએ નારાજગી દર્શાવી છે. વધુ ભાડું ખર્ચીને ન જવા માગતા મુસાફરોને કનડગત થશે અને નૉન-AC ટ્રેનોની ભીડ વધશે એમ મુસાફરોનું માનવું છે.
ADVERTISEMENT
૨૬ જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેમાં પણ ૧૨ નૉન-AC લોકલ ટ્રેનની જગ્યાએ AC ટ્રેનો શરૂ થશે.


