Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

14 October, 2021 09:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મકાનમાં રહેતા લોકોને અને એ બાઇકના માલિકોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને પણ એની જાણ કરાઈ હતી.

કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ


કુર્લા-ઈસ્ટમાં સ્ટેશન પાસે આવેલા એક એસઆરએ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલી ૨૦ જેટલી બાઇક મંગળવારે રાતે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. મકાનમાં રહેતા લોકોને અને એ બાઇકના માલિકોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને પણ એની જાણ કરાઈ હતી. આ અકસ્માત હતો કે કોઈએ જાણી જોઈને આગ લગાડી હતી એ જાણી શકાયું નહોતું. કુર્લા-ઈસ્ટના નેહરુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર ભાબળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પણ આગની જાણ થતાં અમે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જોકે અમને આ સંદર્ભે કોઈ ફરિયાદ મળી નથી. અમે તપાસ કરી હતી, પણ ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરા ચાલુ નહોતા એટલે એમાં કશું જ રેકૉર્ડ થયું નથી. એથી આ આગ કઈ રીતે લાગી એ કહેવું મુશ્કેલ છે. જો અમને આ વિશે ફરિયાદ મળશે તો અમે એ વિશે વધુ તપાસ કરીશું.’ 
તસવીર : પીટીઆઇ


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2021 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK