° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


H3N2થી અત્યાર સુધીમાં 9 મોત, સૌથી વધુ કેસ મહારષ્ટ્રમાં, મુંબઈમાં નવા 4 દર્દી મળ્યા

16 March, 2023 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર (Maharashtra)સહિત દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી ગયો છે. મુંબઈ(Mumbai)માં નવા 4 કેસ નોંંધાયા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી ગયો છે. આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. તે જ સમયે, વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂ અને H3N2ના કુલ 352 કેસ નોંધાયા છે. તેમાંથી 58 દર્દીઓ H3N2 થી પીડિત છે.

BMC અનુસાર, મુંબઈમાં 32 દર્દીઓ દાખલ છે, જેમાંથી 4 દર્દીઓ H3N2 અને 28 H1N1 દર્દીઓ છે. આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે.

રાજ્યમાં ઈન્ફલ્યુએન્ઝા H3N2ના ખતરાને જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે.

મહરાષ્ટ્રમાં આ વાયરસથી અત્યાર સુધીમાં બેના મોત થઈ ચૂક્યા છે. જેમાં એક અહેમદનગરનો વિદ્યાર્થી સામેલ છે. જે અભ્યાસ બાદ પોતાના મિત્રો સાથે અલીબાગ ફરવા ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તેની તબિયત લથડી પડી હતી. 

આ પણ વાંચો:કોરોના જેમ જીવલેણ બન્યો H3N2 વાયરસ, લક્ષણો સહિત તમામ એ ટુ ઝેડ માહિતી જાણો અહીં

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે કહ્યું કે H3N2 વાયરસથી સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ હોસ્પિટલને પણ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે  H3N2 વાયરસ જીવલેણ નથી તેનાથી સારવાર દ્વારા મુક્તી મેળવી શકાય છે. માટે વધુ ચિંતા કરવાની જરૂર નથી.  

16 March, 2023 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સલમાન ખાનના જીવના જોખમ મામલે અપડેટ, મેઈલ ક્યાંથી આવ્યો તે અંગે મળી માહિતી

સલમાન ખાન(Salman Khan)ને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ અભિનેતાએ કહ્યું હતું કે જે થશે એ જોયુ જશે. પરંતુ તેનો પરિવાર ખુબ જ ચિંતામાં છે....

23 March, 2023 02:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ઘરે જવાના હરખમાં ઈન્ડિગો ફ્લાઈટમાં કરી દારૂ પાર્ટી, હંગામા બાદ પોલીસને કરી ધરપકડ

દુબઈ થી મુંબઈ (Dubai to Mumbai flight)જતી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)માં નશાની હાલતમાં બે મુસાફરોએ કેબિન ક્રૂ અને સહ-યાત્રીઓ સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું.

23 March, 2023 10:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai: માહિમમાં ગેરકાયદે દરગાહ તોડી પાડવામાં આવી, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત

મુંબઈ(Mumbai)ના નિવાસી કલેક્ટર દ્વારા દરગાહને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આજે સવારે 8 વાગ્યાથી 6 અધિકારીઓ દરગાહ પર પહોંચી ગયા હતા.

23 March, 2023 09:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK