જેમની તસવીરો ઉપલબ્ધ નહોતી એવા ૮.૧૮ લાખ મતદારોનાં નામ થાણે જિલ્લાની મતદારયાદીમાંથી દૂર કરી દેવાયાં હોવાનું કલેક્ટર રાજેશ નર્વેકરે જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
મુંબઈ (પી.ટી.આઇ.) ઃ જેમની તસવીરો ઉપલબ્ધ નહોતી એવા ૮.૧૮ લાખ મતદારોનાં નામ થાણે જિલ્લાની મતદારયાદીમાંથી દૂર કરી દેવાયાં હોવાનું કલેક્ટર રાજેશ નર્વેકરે જણાવ્યું હતું. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઑફિસર અર્ચના કદમના જણાવ્યા પ્રમાણે અત્યારે થાણે જિલ્લામાં કુલ ૬૪.૬૮ લાખ મતદારો છે.